Saturday, January 10, 2026
Google search engine
HomeNewsNationalકોરોનાના 8318 નવા કેસ, 465નાં મોત

કોરોનાના 8318 નવા કેસ, 465નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના 8318 નવા કેસ સામે આવ્યા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 465 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 3,45,63,749 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 4,67,933 લોકોનાં મોત થયાં છે.

દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 3,39,88,797 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 10,967 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 1,07,019એ પહોંચી છે, જે છેલ્લા 541 દિવસોમાં સૌથી ઓછા છે. રિકવરી રેટ વધીને 98.34 ટકાએ પહોંચ્યો છે, જે માર્ચ, 2020 પછી સૌથી વધુ છે. મૃત્યુદર ઘટીને 1.35 ટકા થયો છે.કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 9,69,354 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 62.79 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે.

દેશમાં 121.06 લાખ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 1,21,06,58,262 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 73,58,262 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular