Saturday, May 24, 2025
Google search engine
HomeNewsNationalકોરોનાના 10,197 નવા કેસ, 301નાં મોત

કોરોનાના 10,197 નવા કેસ, 301નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસના નવા કેસોમાં સાધારણ વધારો થયો છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 10,197 નવા કેસ સામે આવ્યા છે, જે  છેલ્લા 287 દિવસોમાં સૌથી ઓછા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 301 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 3,44,66,598 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 4,64,153 લોકોનાં મોત થયાં છે.

દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 3,38,73,890 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 12,134 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 1,28,555એ પહોંચી છે, જે છેલ્લા 527 દિવસમાં સૌથી ઓછા છે. રિકવરી રેટ વધીને 98.28 ટકાએ પહોંચ્યો છે, જે માર્ચ, 2020 પછી સૌથી વધુ છે. મૃત્યુદર ઘટીને 1.35 ટકા થયો છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 12,42,177 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 61.80 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે.

દેશમાં 113.68 લાખ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 1,13,68,79,685 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 67,82,042 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular