Friday, June 20, 2025
Google search engine
HomeNewsNationalકોરોનાના 10,229 નવા કેસ, 125નાં મોત

કોરોનાના 10,229 નવા કેસ, 125નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસના નવા કેસોમાં ધીમે-ધીમે ઘટાડો થઈ રહ્યો છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 10,229 નવા કેસ સામે આવ્યા છે, જે ગઈ કાલથી 9.2 ટકા ઓછા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 125 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 3,44,47,536 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 4,63,655 લોકોનાં મોત થયાં છે.

દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 3,38,49,785 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 11,926 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 1,34,096એ પહોંચી છે, જે છેલ્લા 523 દિવસમાં સૌથી ઓછા છે. રિકવરી રેટ વધીને 98.26 ટકાએ પહોંચ્યો છે, જે માર્ચ, 2020 પછી સૌથી વધુ છે. મૃત્યુદર ઘટીને 1.35 ટકા થયો છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 9,15,198 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 61.68 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે.

દેશમાં 112.34 લાખ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 1,12,34,30,478 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 30,20,119 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular