Sunday, June 29, 2025
Google search engine
HomeGalleryCultureમુંબઈમાં ગણપતિ વિસર્જન સલામત, શાંતિપૂર્વક રીતે સંપન્ન

મુંબઈમાં ગણપતિ વિસર્જન સલામત, શાંતિપૂર્વક રીતે સંપન્ન

મુંબઈ તથા પડોશના મીરા રોડ, ભાયંદર સહિતના વિસ્તારોમાં ગણેશભક્તોએ એમનાં ઘરમાં કે સાર્વજનિક મંડળોમાં સ્થાપિત કરેલી ભગવાન ગણપતિજીની મૂર્તિઓનું 19 સપ્ટેમ્બર, રવિવારે કૃત્રિમ તળાવોમાં વિસર્જન કરીને દસ દિવસના ગણેશોત્સવ તહેવારનું પરંપરાગત ધાર્મિક ઉત્સાહ અને ઉમંગ સાથે સમાપન કર્યું. મુંબઈ, થાણે, પાલઘર, નવી મુંબઈ, રાયગડ તમામ જિલ્લાઓમાં પોલીસ સુરક્ષાનો કડક બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો તેમજ કોરોનાવાઈરસના ફેલાવાને કારણે સ્થાનિક મહાનગરપાલિકા તંત્રો દ્વારા લાગુ કરાયેલા સ્વાસ્થ્ય સંબંધિત નિયંત્રણોનું કડક પાલન કરવામાં આવ્યું હતું. (તસવીરોઃ દીપક ધુરી)

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular