Monday, July 7, 2025
Google search engine
HomeNewsNationalકોરોનાના 25,072 નવા કેસ, 389નાં મોત

કોરોનાના 25,072 નવા કેસ, 389નાં મોત

નવી દિલ્હીઃ આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 25,072 નવા કેસ સામે આવ્યા છે, જે છેલ્લા 160 દિવસમાં સૌથી ઓછા કેસો છે. છેલ્લા 24 કલાકમાં 389 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 3,24,49,306 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 4,34,756 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 3,16,80,626 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 44,157 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 3,33,924એ પહોંચી છે.  રિકવરી રેટ વધીને 97.63 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.34 ટકા થયો છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 12,95,160 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 50.58 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે.

દેશમાં 58.25 કરોડ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 58,25,49,595 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 7,95,543 લોકોને રસી આપવામાં આવી હતી.

 દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular