Wednesday, July 9, 2025
Google search engine
HomeNewsNationalકોરોનાના 44,643 વધુ નવા કેસ, 464નાં મોત

કોરોનાના 44,643 વધુ નવા કેસ, 464નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 44,643 નવા કેસ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 464 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 3,18,56,757 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 4,26,754 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 3,10,15,844 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 41,096 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 4,14,159એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 97.36 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.34 ટકા થયો છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 16,40,287 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 47.60 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે.

   દેશમાં 49.53 કરોડ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 49,53,27,595 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 57,97,808 લોકોને રસી આપવામાં આવી હતી.

 દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular