Thursday, June 19, 2025
Google search engine
HomeNewsNationalકોરોનાના 1,86,364 વધુ નવા કેસ, 3660નાં મોત 

કોરોનાના 1,86,364 વધુ નવા કેસ, 3660નાં મોત 

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 1,86,364 નવા કેસ સામે આવ્યા છે. દૈનિક કેસો છેલ્લા 44 દિવસોમાં સૌથી ઓછા છે. આ પહેલાં 14 એપ્રિલે 1,84,372 કેસો નોંધાયા હતા.  છેલ્લા 24 કલાકમાં 3660 લોકોનાં મોત થયાં છે, દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 2,75,55,457 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 3,18,895 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 2,48,93,410  લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 2,59,459 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 23,43,152એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 90.34 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.16 ટકા થયો છે.

છેલ્લા 24 કલાકમાં દેશમાં 20,70,508 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. પોઝિટિવિટી રેટ નવ ટકા છે.

દેશમાં 20.57 કરોડ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 20,57,20,660 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 29,19,699 લોકોને રસી આપવામાં આવી હતી.

 દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular