Sunday, June 22, 2025
Google search engine
HomeNewsNationalકોરોનાના 3,68,147ના નવા કેસ, 3417નાં મોત 

કોરોનાના 3,68,147ના નવા કેસ, 3417નાં મોત 

 નવી દિલ્હીઃ દેશમાં કોરાના વાઇરસના કેસોમાં ફરી એક વાર રેકોર્ડ વધારો થઈ રહ્યો છે. પ્રતિદિન કોરોના કેસોમાં નવો રેકોર્ડ બની રહ્યો છે. દેશમાં કોરોનાની સ્થિતિ બદથી બદતર થઈ રહી છે. દેશમાં કોરોનાની બીજી લહેર વધુ ઘાતક બની રહી છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 3,68,147 નવા કેસ સામે આવ્યા છે.  દેશમાં સતત 12મા દિવસે કોરોનાના સાડાત્રણ લાખથી વધુ નવા કેસો નોંધવામાં આવ્યા છે. જોકે આમ સતત 16મો દિવસ છે, જ્યારે દેશભરમાં કોરોનાના અઢી લાખથી વધુ કેસ નોંધવામાં આવી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં 3417 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 1,99,25,604 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 2,18,959 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 1,62,93,003  લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 3,00,732 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 34,13,642 પહોંચી છે. રિકવરી રેટ વધીને 81.77 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.10 ટકા થયો છે.

દેશમાં 15.71 કરોડ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 15,71,98,207 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 12,10,347 લોકોને રસી આપવામાં આવી હતી.

 દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular