Saturday, July 12, 2025
Google search engine
HomeNewsNationalકોરોનાના 3,46,786ના નવા કેસ, 2624નાં મોત 

કોરોનાના 3,46,786ના નવા કેસ, 2624નાં મોત 

 નવી દિલ્હીઃ દેશમાં કોરાના વાઇરસના કેસોમાં ફરી એક વાર ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. દેશમાં કોરોનાની સ્થિતિ બદથી બદતર થઈ રહી છે. દેશમાં કોરોનાની બીજી લહેર વધુ ઘાતક બની રહી છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 3,46,786 નવા કેસ સામે આવ્યા છે.  આ સાથે સતત આઠમા દિવસે દેશમાં અઢી લાખથી વધુ કેસો નોંધવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 2624 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 1,66,10,481 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 1,89,544 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 1,38,67,997  લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 2,19,838 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 25,52,940 પહોંચી છે. રિકવરી રેટ વધીને 83.49 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.14 ટકા થયો છે.

દેશમાં 13.83 કરોડ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 13,83,79,832 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 29,01,412 લોકોને રસી આપવામાં આવી હતી.

 દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular