Monday, May 19, 2025
Google search engine
HomeNewsNationalવિશ્વમાં સૌથી વધુ કોરોનાના કેસો ભારતમાં નોંધાયા

વિશ્વમાં સૌથી વધુ કોરોનાના કેસો ભારતમાં નોંધાયા

 નવી દિલ્હીઃ દેશમાં કોરાના વાઇરસના કેસોમાં ફરી એક વાર સતત વધારો થઈ રહ્યો છે. દેશમાં કોરોનાની સ્થિતિ બદથી બદતર થઈ રહી છે. દેશમાં કોરોનાની બીજી લહેર વધુ ઘાતક બની રહી છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 3,14,835 નવા કેસ સામે આવ્યા છે.  આ સાથે સતત છઠ્ઠા દિવસે દેશમાં અઢી લાખથી વધુ કેસો નોંધવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 2104 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 1,59,30,965 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 1,84,657 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 1,34,54,880  લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 1,78,841 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 22,91,428 પહોંચી છે. રિકવરી રેટ વધીને 84.46 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.16 ટકા થયો છે.

દેશમાં 13.23 કરોડ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 13,23,30,644 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 22,11,334 લોકોને રસી આપવામાં આવી હતી.

 દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular