Thursday, June 19, 2025
Google search engine
HomeNewsNationalકોરોનાના 1,31,968ના નવા કેસ, 780નાં મોત 

કોરોનાના 1,31,968ના નવા કેસ, 780નાં મોત 

નવી દિલ્હીઃ દેશમાં કોરાના વાઇરસના કેસોમાં ફરી એક વાર નિરંતર વધારો થઈ રહ્યો છે. દેશમાં કોરોનાની સ્થિતિ બેકાબૂ થઈ રહી છે. દેશમાં કોરોનાની બીજી લહેર વધુ ઘાતક બની રહી છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 1,31,968 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 780 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 1,30,60,542 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 1,67,642 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 1,19,13,292  લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 59,258 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 9,79,608 પહોંચી છે. રિકવરી રેટ વધીને 91.22 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.28 ટકા થયો છે.

દેશમાં 9.43 કરોડ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 9,43,34,262 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 36,91,511 લોકોને રસી આપવામાં આવી હતી.

 દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular