Monday, July 21, 2025
Google search engine
HomeNewsNationalકોરોનાના 89,129ના નવા કેસ, 714નાં મોત 

કોરોનાના 89,129ના નવા કેસ, 714નાં મોત 

નવી દિલ્હીઃ દેશમાં કોરાના વાઇરસના કેસોમાં ફરી એક વાર વધારો થઈ રહ્યો છે. દેશમાં કોરોનાની સ્થિતિ બેકાબૂ થઈ રહી છે. દેશમાં કોરોનાની બીજી લહેર વધુ ઘાતક બની રહી છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 89,129 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 714 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 1,23,92,260 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 1,64,110 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 1,15,69,241 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 44,202 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 6,58,909 પહોંચી છે. રિકવરી રેટ વધીને 93.36 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.32 ટકા થયો છે. મહારાષ્ટ્રમાં કોરોનાના 47,827થી વધુ કેસ

મુંબઈમાં કોરોના વાઇરસના નવા 8844 કેસ નોંધાયા છે. મુંબઈમાં 24 કલાકમાં નોંધાયેલા આ સૌથી વધારે કેસ છે. જ્યારે મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 47,827થી વધારે કેસ નોંધાયા છે.

દેશમાં 7.30 કરોડ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 7,30,54,295 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે.  ગઈ કાલે 30,54,295 લોકોને રસી આપવામાં આવી હતી.

 દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular