Tuesday, July 22, 2025
Google search engine
HomeNewsNationalકોરોનાના 81,466ના નવા કેસ, 469નાં મોત 

કોરોનાના 81,466ના નવા કેસ, 469નાં મોત 

 નવી દિલ્હીઃ દેશમાં કોરાના વાઇરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. દેશમાં કોરોનાની બીજી લહેર વધુ ઘાતક બની રહી છે.શુક્રવારે કોરોનાના નવા કેસોમાં 13 ટકાનો વધારો નોંધાયો છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 81,466 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 469 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 1,23,03,131 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 1,63,396 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 1,15,25,039  લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 50,356 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 6,14,696 પહોંચી છે. રિકવરી રેટ વધીને 93.68 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.33 ટકા થયો છે.

મહારાષ્ટ્રમાં કોરોનાના 43,000થી વધુ કેસ

મુંબઈમાં ગુરુવારે કોરોના વાઇરસના નવા 8646 કેસ નોંધાયા છે. મુંબઈમાં 24 કલાકમાં નોંધાયેલા આ સૌથી વધારે કેસ છે. જ્યારે મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 43,000થી વધારે કેસ નોંધાયા છે. મુંબઈમાં ફરી એક વાર લોકડાઉન લાગે એવી શક્યતા છે

દેશમાં 6.87 કરોડ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 6,87,89,138 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે.  ગઈ કાલે 36,71,242 લોકોને રસી આપવામાં આવી હતી.

 દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular