Friday, December 19, 2025
Google search engine
HomeReligion & SpiritualitySadguruતમારી સુખાકારી એ તમારી સફળતાનો આધાર છે

તમારી સુખાકારી એ તમારી સફળતાનો આધાર છે

દરેક મનુષ્ય સુખાકારીમાં રુચિ ધરાવે છે. તે ફક્ત એટલું જ છે કે જે સ્તરે તેઓ જીવનને જોઈ રહ્યા છે તે ભિન્ન હોઈ શકે છે. એક વ્યક્તિ માટે, સુખાકારીનો અર્થ ફક્ત તેની વ્યક્તિગત સુખાકારી હોઈ શકે છે, અન્ય તેના અને તેના પરિવાર માટે હોઈ શકે છે અને કોઈ બીજા માટે તે આખું વિશ્વ હોઈ શકે. તેથી, ફક્ત સ્તર અલગ છે પરંતુ સુખાકારીમાં રસ ન હોય તેવું કોઈ નથી.

તો સુખાકારી શું છે? મનુષ્યને ખરેખર ક્યારે સારું લાગે છે? દરેક મનુષ્ય સંમત થાય છે કે જ્યારે તેઓ ખુશ હોય ત્યારે તેમને ખરેખર સારું લાગે છે, તે વિશે કોઈ પ્રશ્ન નથી. ભલે તમે તબીબી રીતે બીમાર હોવ, જો તમે ખુશ હો, તો તમારા અનુભવમાં તમે હજી પણ સારા છો. તેથી, સુખાકારીનો અર્થ એ છે કે તમારી અંદર સુખનો એક ચોક્કસ સ્તર છે. જો તમે તમારા શરીરમાં સુખદ હશો તો એને સ્વાસ્થ્ય કહેવાય; જો તમે વધુ સુખદ બની જાઓ તો તેને આનંદ કહેવાય.

જો તમે તમારા મનથી સુખદ હશો તો એને શાંતિ કહેવાય; જો તમે વધુ સુખદ બની જાઓ તો એને આનંદ કહેવાય.

જો તમે તમારી ભાવનામાં સુખદ બની જાઓ તો એને પ્રેમ કહેવાય; જો તમે વધુ સુખદ બનશો તો એને કરુણા કહેવાય.

જો તમે તમારા જીવન ઉર્જામાં સુખદ બનશો તો એને આનંદ કહેવાય; જો તમે વધુ સુખદ બની જાઓ તો એને પરમાનંદ કહેવાય. દરેક મનુષ્ય ભલે એ કામ કરવા જઇ રહ્યો હોય કે પૈસા પાછળ હોય કે નશામાં હોય કે તે સ્વર્ગમાં જવા માંગતો હોય, તે એજ શોધી રહ્યો છે – આંતરિક અને બાહ્ય સુખદતા.

જ્યારે બાહ્ય સુખની વાત આવે છે, ત્યારે તે ઘણા લોકો પર આધારીત હોય છે અને કોઈ પણ આ 100% પ્રાપ્ત કરી શકશે નહીં; બહારની પરિસ્થિતિ હંમેશા બદલાતી રહે છે. પરંતુ અંદરની પરિસ્થિતિ સાથે ફક્ત એક સામગ્રી છે અને તે તમે છો. ઓછામાં ઓછું તમારી અંદર જે તમે ઈચ્છો તે થવું જ જોઈએ. તમારી અંદર આ સુખમયતા લાવવી એ ખૂબ મહત્વનું છે કારણ કે તે ત્યારે જ થાય છે જ્યારે તમે તમારી અંદર ખરેખર આનંદિત અને એકદમ સુખનો અનુભવ કરો છો અને તમારું શરીર અને મન તેમની સર્વોચ્ચ સંભાવનાથી કાર્ય કરે છે. જો તમારું કાર્ય અથવા તમે જે કરો છો તે અગત્યનું છે, તો મહત્વપૂર્ણ બાબત એ છે કે તમારે પોતાના પર કામ કરવું જોઈએ કારણ કે એ આપણે જે કરીએ છીએ આ તેનો આધાર છે.

(સદગુરુ જગ્ગી વાસુદેવ)

(ભારતના પચાસ પ્રભાવશાળી લોકોમાં સ્થાન ધરાવનાર, સદગુરુ યોગી, રહસ્યવાદી, સ્વપ્નદ્રષ્ટા અને ન્યૂયોર્ક ટાઇમ્સના બેસ્ટ સેલિંગ લેખક છે. સદગુરુને તેની અસાધારણ અને વિશિષ્ટ સેવા બદલ ભારત સરકાર દ્વારા 2017 માં સર્વોચ્ચ વાર્ષિક નાગરિક એવોર્ડ- પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા છે.)

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular