Friday, May 16, 2025
Google search engine
HomeReligion & SpiritualitySadguruશું સંકોચ “પાપ” છે?

શું સંકોચ “પાપ” છે?

પ્રશ્નકર્તા: સદગુરુ, તમે કહ્યું બુદ્ધિશાળી લોકો વિચારે છે. શું વિચારવું સંકોચ પેદા નથી કરતું? કૃષ્ણએ કહ્યું, સંકોચ એ પાપ છે. શું આ એક વિરોધાભાસ નથી?

સદગુરુ: કૃષ્ણએ કહ્યું કે સંકોચ એ પાપ છે કારણ કે જ્યારે તમે સંકોચ કરો છો, ત્યારે તમે બધુ ગુમાવો છો. કોઈ માણસ, જેણે યોજના બનાવ્યા પછી કાર્ય કરવાનું પસંદ કર્યું છે તેણે સંકોચ કરવો જોઈએ નહીં. જો જે કરવાની જરૂર છે તે બધું વિચારી લેવામાં આવ્યું હોય, પરંતુ કાર્યના ક્ષણે, તમે અચકાશો, તો તમે બધું બગાડશો. પરંતુ યુદ્ધ લડવાનો નિર્ણય લેવાય તે પહેલાં, કૃષ્ણએ તેનો વારંવાર વિચાર કર્યો, અને યુદ્ધને ટાળવા માટે શક્ય તેટલું કર્યું – તેમને આને સંકોચ તરીકે જોયું નહીં. દુર્યોધન તે ક્ષણની પ્રેરણા પર યુદ્ધમાં જવા માંગતો હતો, જ્યારે પાંડવો અને કૃષ્ણે જાતે શું કરવું જોઈએ તે અંગે વિચાર કર્યો. પરંતુ એકવાર નિર્ણય લઈ લીધા પછી તમે યુદ્ધના મેદાન પર આવો, પછી અચકાવું નહીં. જો તમે કાર્યના ક્ષણમાં અચકાશો, તો તે વિનાશ તરફ દોરી જશે. ચાલો આપણે કહીએ કે તમે ભારતીય હાઇવે પર વાહન ચલાવી રહ્યા છો. બંને રસ્તાઓ પર ટ્રાફિક છે, વચ્ચે કોઈ ડિવાઇડર નથી. તમે પસાર થવા માંગો છો, તમે સામાન્ય રીતે જાણો છો કે તમે સક્ષમ છો, પરંતુ ટ્રાફિક તમારી અડચણે આવે છે. જો તમે ઝડપથી જશો, તો તમે પસાર થશો, પરંતુ એક ક્ષણનો સંકોચ, અને તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. જ્યારે તમે કાર્ય કરતાં હોવ ત્યારે, કાર્યમાં વિલીન થવું આવશ્યક છે. જો તમે કાર્યને થવા દેશો, તો તમારી અંદર બૌધ્ધિક રીતે એક અલગ પરિમાણ કામ કરશે. ખેલૈયાઓ આનો અનુભવ કરે છે – જો તેઓ એક ક્ષણ માટે વિચારે અને અચકાય તો તે વિનાશકારી બની શકે છે. કૃષ્ણે અર્જુન સાથે વાત કરી, જેને સવ્યસચી તરીકે પણ ઓળખવામાં આવે છે, જેનો અર્થ છે- સત્યવાદી યોદ્ધા. તેઓ કહે છે કે જ્યારે તે કાર્ય કરવા આવ્યો, ત્યારે તે અસ્પષ્ટ થઈ ગયો – લોકો તેના હાથ શું કરે છે તે પણ જોઈ શક્યા નહીં. જે માણસ કાર્યના આવા પરિમાણો માટે સક્ષમ છે જો તે અચકાશે તો તે બરબાદ થઈ જશે. કૃષ્ણે તેને કહ્યું. જ્યારે મેં કહ્યું, “બુદ્ધિશાળી લોકો વિચારે છે – મૂર્ખ લોકો નક્કી જ મૃત છે,” ત્યારે તે એક અલગ સંદર્ભમાં હતું. બુધ્ધિ હંમેશા તપાસ કરશે અને કયા રસ્તે જવું તે જોશે, શું શ્રેષ્ઠ કરવાનું છે તે ચકાસશે. મૂર્ખતા દરેક દિશામાં ચાલશે. તપાસનો સમય કદાચ સંકોચ જેવો લાગે, પરંતુ કૃષ્ણનું કહેણ તે અર્થમાં નથી. આ વિરોધાભાસી નથી – તે એક અલગ સંદર્ભ છે.

(સદગુરુ જગ્ગી વાસુદેવ)

(ભારતના પચાસ પ્રભાવશાળી લોકોમાં સ્થાન ધરાવનાર, સદગુરુ યોગી, રહસ્યવાદી, સ્વપ્નદ્રષ્ટા અને ન્યૂયોર્ક ટાઇમ્સના બેસ્ટ સેલિંગ લેખક છે. સદગુરુને તેમની અસાધારણ અને વિશિષ્ટ સેવા બદલ ભારત સરકાર દ્વારા 2017 માં સર્વોચ્ચ વાર્ષિક નાગરિક એવોર્ડ- પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા છે.)

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular