Saturday, May 24, 2025
Google search engine
HomeNewsNationalકોરોનાના 15,968 નવા કેસ, 202નાં મોત

કોરોનાના 15,968 નવા કેસ, 202નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. નવા કેસોની સાથે મૃતકોની સંખ્યામાં પણ ઘટાડો થઈ રહ્યો છે. દેશમાં કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા 1.04 કરોડને પાર પહોંચી છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 15,968 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 202 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 1,04,95,147 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 1,51,529 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 101,29,111 લોકો માત આપી ચૂક્યા છે.  પાછલા 24 કલાકમાં 17,817 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 2,14,507એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 96.51 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.44 ટકા થયો છે.

કોરોના વાઇરસની વેક્સિન અમદાવાદ પહોંચી

રાજ્યમાં કોરોના વાઇરસની વેક્સિન આવી ગઈ છે. પોણા ત્રણ લાખ કોરોના વેક્સિનના ડોઝ આજે અમદાવાદ પહોંચ્યા છે, ત્યાર બાદ અન્ય જિલ્લાઓમાં આવતી કાલે પહોંચશે. કોરોનાની રસીને લઈને લોકોમાં ઘણી આતુરતા હતી, જે કોરોનાની રસી આજે અમદાવાદ આવી પહોંચી હતી, એ પ્રથમ તબક્કામાં ફ્રન્ટલાઇન વોરિયર્સને રસી અપાશે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular