Thursday, June 19, 2025
Google search engine
HomeNewsNationalકોરોનાના કેસોની સંખ્યા 97 લાખને પાર

કોરોનાના કેસોની સંખ્યા 97 લાખને પાર

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. દેશમાં કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા 97 લાખને પાર પહોંચી છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 26,567 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 385 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 96,03,770 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 1,40,958 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 91,78,946 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 39,045 દર્દીઓ કોરોનાથી સ્વસ્થ થઈ ચૂક્યા છે.  જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 3,83,866એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 94.19 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.45 ટકા થયો છે.

કોરોનાના દર્દીઓને પેટ ભરીને ભોજન કરવું ઘાતક

શિયાળામાં કોરોનાના દર્દીઓએ પેટ ભરીને ભોજન કરવું એ ઘાતક બની શકે છે. જેના લીધે દર્દીએ જીવ પણ ગુમાવવો પડે છે. શિયાળામાં ઠંડી વધતા કોરોનાના દર્દીઓનો મૃત્યુદર વધી શકે છે તેવી ભીતિ નિષ્ણાતો દ્વારા વ્યકત કરવામાં આવી છે. કોરોનાના દર્દીઓને ઠંડીમાં એકસાથે પેટ ભરીને ભોજન કરવું જોઇએ નહી, જો આમ કરવામાં આવે તો આંતરડાંમાં લોહીનું પરિભ્રમણ વધી જાય છે. આથી ઓકિસજનનો વધુ વપરાશ થાય છે. જેના લીધે શરીરના અન્ય અવયવોને ઓકિસજનનો સપ્લાય પૂરતા પ્રમાણમાં મળતો નથી. શરીરના અન્ય અવયવોને ઓકિસજનનો સપ્લાય ઓછો મળવાથી તે દર્દી માટે ઘાતક બની શકે છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular