Friday, June 20, 2025
Google search engine
HomeNewsNationalનાણાંપ્રધાને 'આત્મનિર્ભર ભારત રોજગાર યોજના' લોન્ચ કરી

નાણાંપ્રધાને ‘આત્મનિર્ભર ભારત રોજગાર યોજના’ લોન્ચ કરી

નવી દિલ્હીઃ મોદી સરકારે અર્થતંત્રને પાટે ચઢાવવા માટે વધુ એક રાહત પેકેજ આપવાની આજે ઘોષણા કરી છે. એની સાથે જ નાણાં પ્રધાન નિર્મલા સીતારામને ‘આત્મનિર્ભર ભારત રોજગાર યોજના’ લોન્ચ કરી છે. મોદી સરકાર પ્રવાસી મજૂરો માટે ખાસ પ્રકારનું પોર્ટલ લાવવાની છે. એનો ઉદ્દેશ નવ રોજગારને પ્રોત્સાહન આપવાનો છે. એના હેઠળ જે કંપનીઓ નવા લોકોને રોજગાર આપી રહી છે એટલે કે જે પહેલેથી જ EPFOમાં સમાવિષ્ટ નથી, તેમને લાભ મળશે. એનો લાભ માસિક રૂ. 15,000થી ઓછી સેલરીવાળા અથવા 1 માર્ચ, 2020થી માંડીને 31 સપ્ટેમ્બર, 2020ની વચ્ચે નોકરી ગુમાવનારા લોકોને એનો લાભ મળશે. આ સ્કીમ 1 ઓક્ટોબર, 2020થી લાગુ થશે.  

આ યોજના હેઠળ દેશમાં ઝડપથી નોકરીઓની તક વધશે. રાહત પેકેજ હેઠળ આત્મનિર્ભર રોજગાર યોજના હેઠળ દેશના સંગઠિત ક્ષેત્રમાં વધુ રોજગારનું સર્જન થશે. રાહત પેકેજ હેઠળ આત્મનિર્ભર રોજગાર યોજના હેઠળ દેશના સંગઠિત ક્ષેત્રમાં વધુ રોજગારીનું સર્જન થશે. અસંગઠિત ક્ષેત્રને સંગઠિત કરવા પર કામ થશે. આત્મનિર્ભર ભારત 3.0 હેઠળ 12 પગલાંની ઘોષણા થશે. રજિસ્ટર્ડ EPFO સંસ્થાથી જોડાયેલા કર્મચારીઓને એનો લાભ મળશે.

આવી રીતે લાભ મળશે

સરકાર આવનારાં બે વર્ષ સુધી સબસિડી આપશે, જે સંસ્થામાં 1000 સુધી કર્મચારીઓ છે, એમાં પ્રોવિડન્ટ ફંડમાં 12 ટકા કર્મચારીઓ અને 12 ટકા કંપનીનો હિસ્સો કેન્દ્ર આપશે. 1000થી વધુ કર્મચારીઓવાળી સંસ્થાઓમાં કેન્દ્ર કર્મચારીઓના હિસ્સાના 12 ટકા આપશે. 65 ટકા સંસ્થાઓ આમાં કવર થશે.

આ નવા પેકેજ હેઠળ સરકાર પ્રધાનમંત્રી રોજગાર યોજનાનું વિસ્તરણ કરી શકે છે. આ સ્કીમ હેઠળ સરકાર નવા કર્મચારીઓ અને કંપનીઓના PFના હિસ્સા પર 10 ટકા સબસિડી આપી શકે છે. સૂત્રોના જણાવ્યા મુજબ GSTમાં રજિસ્ટર કંપનીઓને સરકાર વેજ (Wage) સબસિડીનો લાભ આપી શકે છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular