Monday, May 26, 2025
Google search engine
HomeNewsNationalકોરોનાના 73,272 નવા કેસ, 926નાં મોત

કોરોનાના 73,272 નવા કેસ, 926નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના સંક્રમિતોની સંખ્યામાં રેકોર્ડ વધારો થઈ રહ્યો છે. દેશમાં કોવિડ-19ના કુલ મામલા 70 લાખની નજીક પહોંચી છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 73,272 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 926 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 69,79,152 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 1,07,416 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 59,88,22 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 82,753 દર્દીઓ ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 8,83,185 પહોંચી છે. રિકવરી રેટ વધીને 85.01 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.54 ટકા થયો છે.

શિયાળામાં કોરોના કેસોમાં ઉછાળો આવે એવી શક્યતા

કોરોના વાઇરસના  કેસોમાં એક વખત ફરીથી ઉછાળો જોવા મળે એવી શક્યતા છે. અનેક નિષ્ણાતો પહેલાં જ કહી ચૂક્યા છે કે શિયાળામમાં કોરોના વાઇરસના કેસો ઝડપથી  વધી શકે છે. એમ્સના AIIMSના ડિરેક્ટર ડોક્ટર રણદીપ ગુલેરિયાએ  પણ હવે ચેતવણી આપી છે કે પ્રદૂષણમાં થોડી વૃદ્ધિ પણ કોરોનાના કેસમાં વધારે ઉછાળો લાવી શકે છે. કોરોનાની સાથે પ્રદૂષણથી ફેફસાં અને શ્વાસ સંબંધી બીમારીઓ પણ વધુ વધી શકે છે

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular