Saturday, June 14, 2025
Google search engine
HomeNewsGujaratવતનની વાટે નીકળેલા શ્રમિકો પ્રત્યે તંત્ર નિષ્ઠુર કેમ?

વતનની વાટે નીકળેલા શ્રમિકો પ્રત્યે તંત્ર નિષ્ઠુર કેમ?

અમદાવાદ: શહેરના ગોતા વિસ્તારમાં આવેલ મામલતદાર કચેરી એ વતન પાછા જવાની આશા સાથે મોટી સંખ્યામાં શ્રમિકો એકઠા થયા હતા. પુરુષો, મહિલાઓ, બાળકો અને સામાન સહિત જુદા જુદા પ્રાંતના મજુરો એકઠાં થતાં તંત્ર દોડતુ થઇ ગયું હતું. ઉનાળાની બળબળતી બપોરે પોતાના વતન જવા પરમિશનનું કાગળીયુ અને વાહનની વ્યવસ્થાની આશા એ ભેગા થયેલા અસંખ્ય લોકોની આશા પર પાણી ફરી વળ્યું હતું.

પરિસ્થિતિ ને નિયંત્રણમાં રાખવા આવી પહોંચેલી પોલીસે લોકોને ઘેટાં બકરાંની જેમ એ એમ ટી એસ બસોમાં ભરી દેવાનો પ્રયાસ કર્યો હતો. ઉત્કૃષ્ટ કામગીરી બજાવતી પોલીસના કેટલાક કર્મચારીઓ પણ તંત્ર ના અણઘડ વહિવટી, દિશા વિહોણા નિર્ણયો થી આક્રોશ ઠાલવતા હતા.

AMTS બસોમાં ખીચોખીચ સોશિયલ ડિસ્ટન્સિંગ વગર ભરેલા પરપ્રાંતિય શ્રમિકોને રેલવે સ્ટેશન પર લઇ જવાના હતા કે સ્થાનિક ઠેકાણે એની કોઈ ઠોસ જાણકારી નહોતી. કોરોનાની આ મહામારીમાં મજુરો કાળઝાળ ગરમીમાં માર્ગદર્શન વગર અહીંથી તહીં ભૂખ્યા તરસ્યા અટવાઈ પડ્યા છે. મંજૂરી ક્યાં..કોણ..અને કેવી રીતે આપે છે..એ માહિતી વગર પગપાળા ચાલી હેરાન પરેશાન થઈ રહ્યા છે. મેટ્રો રેલ, કલરકામ, કડિયા કામ , ઓવરબ્રિજ જેવા અનેક કામો કરવા આવેલા ખાસ કરીને ઉત્તર ભારતના શ્રમિકો સંકલનના અભાવે પીડા ભોગવી રહ્યા છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular