Thursday, May 22, 2025
Google search engine
HomeNewsNationalછેલ્લા 24 કલાકમાં 1993 નવા કેસ અને 73 લોકોનાં મોત

છેલ્લા 24 કલાકમાં 1993 નવા કેસ અને 73 લોકોનાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસના સંક્રમિતોની સંખ્યા વધીને 35,000 થઈ ગઈ છે અને આ વાઇરસને લીધે 1147 લોકોએ જીવ ગુમાવ્યા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં આ વાઇરસના સંક્રમિતોના 1993 નવા કેસ સામે આવ્યા છે અને 73 લોકોનાં મોત થયાં છે. થોડા રાહતના સમાચાર એ છે કે દેશમાં અત્યાર સુધીમાં 8,889 લોકો આ બીમારીમાંથી સ્વસ્થ થયા છે, એમ આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું. દેશમાં કુલ રિકવરી રેટ 25.18 ટકા છે, જેમાં સતત વધારો થઈ રહ્યો છે. આ એક પોઝિટિવ સંકેત છે. બે સપ્તાહ પહેલાં રિકવરી રેટ 13 ટકા હતો, એમ આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું હતું.

વિશ્વભરમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 32,57,026એ પહોંચી

વિશ્વભરમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને 32,57,026 થઈ છે અને 2,33,381 લોકોનાં મોત થયાં છે. વળી, આ બીમારીમાંથી અત્યાર સુધી 10,14,574 સ્વસ્થ થઈ ચૂક્યા છે.

દેશમાં કોરોના વાઇરસના કેસની સ્થિતિ રાજ્યવાર આ મુજબ છે.

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular