Saturday, May 24, 2025
Google search engine
HomeNewsNationalસરકારનું અમરનાથ યાત્રા અંગે ‘અભી બોલા, અભી ફોક’

સરકારનું અમરનાથ યાત્રા અંગે ‘અભી બોલા, અભી ફોક’

નવી દિલ્હીઃ જમ્મુ અને કાશ્મીર સરકાર દ્વારા કોરોના રોગચાળાને ધ્યાનમાં રાખતાં 2020માં યોજાનારી અમરનાથ યાત્રાને રદ કરવામાં આવી હતી. જોકે ગણતરીના કલાકોમાં જ જમ્મુ અને કાશ્મીર સરકારે અમરનાથ યાત્રા રદ કરવાનો નિર્ણય પાછો લીધો છે. આ પહેલાં જમ્મુ-કાશ્મીરના લેફ્ટેનન્ટ જનરલ (એલજી) અને અમરનાથ શ્રાઇન બોર્ડના ચેરમેન ગિરીશ ચંદ્ર મુર્મુ વર્ષ 2020 માટે અમરનાથ યાત્રા રદ કરવાનો નિર્ણય લીધો હતો. અમરનાથ યાત્રાના રસ્તામાં જ્યાંથી શ્રદ્ધાળુઓ પસાર થાય છે એ રસ્તામાં  77 કોરોના રેડ ઝોન આવે છે, જેને કારણે લંગરોની સ્થાપના, મેડિકલ સુવિધાઓ, કેમ્પ લગાવવા, માલસામાનની આવ-જા અને રસ્તા પરથી બરફને દૂક કરવું સંભવ ના હોવાથી સરકારે આ યાત્રા રદ કરી હતી, પરંતુ ગણતરીના કલાકોમાં આ નિર્ણય પરત લેવામાં આવ્યો છે.  

અમરનાથ યાત્રા  23 જૂનથી શરૂ થશે?

અમરનાથ શ્રાઇન બોર્ડે આ વર્ષની અમરનાથ યાત્રા 23 જૂનથી શરૂ થવાની હતી. આ પહેલી વાર છે જેમાં અમરનાથ યાત્રા અંગે અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે. હાલ દેશમાં કોરોના વાઇરસને પગલે ચાલી રહેલા લોકડાઉનને લીધે અમરનાથ યાત્રા માટે જે કેમ્પો બનાવવામાં આવે છે એ હાલ ક્વોરોન્ટાઇન સેન્ટર બનેલા છે. વળી જમ્મુ-કાશ્મીરની સરહદ પણ સીલ હોવાથી વાહન-વ્યવહાર પર સંપૂર્ણ પ્રતિબંધ છે. જેથી બોર્ડે અમરનાથ યાત્રા રદ કરવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ એને ગણતરીના કલાકોમાં પાછો લેવામાં આવ્યો છે.

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular