Saturday, May 24, 2025
Google search engine
HomeNewsInternationalકિમ જોંગ મામલે નોર્થ કોરિયાનું મૌન શું સૂચવે છે?

કિમ જોંગ મામલે નોર્થ કોરિયાનું મૌન શું સૂચવે છે?

સિઓલ: ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉનની હાલત અત્યંત નાજૂક છે. અમેરિકન ન્યૂઝ ચેનલ સીએનએનએ આ દાવો કર્યો છે. અમેરિકન ગુપ્ત અધિકારીનું કહેવું છે કે, ઓપરેશન પછી ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉનની હાલત અત્યંત નાજૂક છે. તો આ તરફ ઉત્તર કોરિયન મીડિયાએ બુધવારે પણ કિમની તબિયત કે તેમના ઠેકાણાનો કોઈ ઉલ્લેખ નથી કર્યો. આંતરાષ્ટ્રીય મીડિયા રિપોર્ટોમાં કિમ જોંગની તબીયત નાજૂક હોવાનો દાવો કરવામાં આવ્યો છે પણ ઉત્તર કોરિયન મીડિયા તરફથી હજુ કોઈ સત્તાવાર માહિતી આપવામાં નથી આવી.

ઉત્તર કોરિયાના મીડિયાએ કિમ જોંગની ઉપલબ્ધિઓનું નિયમિત રિપોર્ટિંગ કરતા અર્થવ્યવસ્થા જેવા મુદ્દાઓ પર તેમના જૂના આર્ટિકલ પ્રકાશિત કરતા સામાન્ય છવીના રૂપમાં એક રિપોર્ટ રજૂ કર્યો છે. દક્ષિણ કોરિયા અને ચીની અધિકારીઓ અને અમેરિકન ગુપ્ત એજન્સીના સૂત્રોએ દક્ષિણ કોરિયન અને અમેરિકન મીડિયા રિપોર્ટ પર શંકા વ્યક્ત કરી છે, તો વ્હાઈટ હાઉસે કહ્યું કે, તે આ મામલે ખૂબ જ જીણવટભરી તપાસ કરી રહ્યું છે.

તો દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ ભવન (બ્લુ હાઉસ) એ કિમના સ્વાસ્થ્યને લઈને કોઈ સૂચના આપવાનો ઈનકાર કરી દીધો છે. બ્લુ હાઉસ તરફથી કહેવામાં આવ્યું છે કે, વર્તમાનમાં ઉત્તર કોરિયામાં કોઈપણ પ્રકારની અસામાન્ય ગતિવિધિ જોવા નથી મળી.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular