Tuesday, June 24, 2025
Google search engine
HomeNewsNationalદેશના 61 જિલ્લામાં પાછલા 28 દિવસોમાં કોઈ નવો કેસ નથી

દેશના 61 જિલ્લામાં પાછલા 28 દિવસોમાં કોઈ નવો કેસ નથી

નવી દિલ્હીઃ કોરોના વાઇરસથી લડવા માટે અને લોકડાઉન દરમ્યાનની સ્થિતિઓ પર નિયંત્રણ માટે આરોગ્ય અને ગૃહ મંત્રાલયે સંયુક્ત પત્રકાર પરિષદ યોજી હતી. આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું હતું કે દેશના 61 જિલ્લાઓમાં પાછલા 14 દિવસોમાં કોરોના વાઇરસનો કોઈ નવો કેસ નથી આવ્યો. આ ઉપરાંત ત્રણ જિલ્લાઓમાં પાછલા 28 દિવસોમાં કોઈ નવો કેસ સામે નથી આવ્યો, એમાંથી એક નવો જિલ્લો રાજસ્થાનનો પ્રતાપગઢ સામેલ થયો છે. તેમણે કહ્યું હતું કે અત્યાર સુધી દેશભરમાં કુલ 18,601 કેસો સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 1,336 નવા કેસ સામે આવ્યા છે. કાલે એક જ દિવસમાં 705 લોકો ઠીક થયા હતા. અત્યાર સુધી કુલ 3,252 લોકો ઠીક થઈ ચૂક્યા છે. ICMRના ડો. રમન ગંગાખેડકરે કહ્યું હતું કે રાજ્યોને બે દિવસ માટે રેપિડ ટેસ્ટિંગ કિટનો ઉપયોગ નહીં કરવા માટે સલાહ આપવામાં આવી છે. પરિણામોમાં બહુ અલગ આવી રહ્યાં છે, જેથી ઓન ગ્રાઉન્ડ ટીમો દ્વારા કિટ પરીક્ષણ પછી બે દિવસમાં એડવાઇઝરી જારી કરવામાં આવશે.

ગઈ કાલે 35,852 સેમ્પલોનો ટેસ્ટ કરાયો

તેમણે કહ્યું હતું કે 4,49,810 સેમ્પલોનો અત્યાર સુધી ટેસ્ટ કરવામાં આવ્યો છે. ગઈ કાલે 35,852 સેમ્પલોનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો., જેમાંથી 29,77 નમૂનાનો ટેસ્ટ 201 ICMR નેટવર્ક લેબમાં અને બાકીનાં 6,076 સેમ્પલોનો ટેસ્ટ 86 ખાનગી લેબોરેટરીઓમાં કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું હતું કે આ એક નવી બીમારી પાછલા સાડા ત્રણ મહિનામાં વિજ્ઞાને વિકાસ કર્યો છે અને અમે PCR ટેસ્ટ પણ શરૂ કર્યાં છે. પાંચ રસી માનવ પરીક્ષણ તબક્કામાં ચાલી રહ્યા છે. આ પહેલાં કોઈ અન્ય બીમારીના કેસોમાં નથી થયું.

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular