Monday, May 19, 2025
Google search engine
HomeNewsInternationalતબલીગી જમાતે પાકિસ્તાનને ય ન છોડ્યું

તબલીગી જમાતે પાકિસ્તાનને ય ન છોડ્યું

ઈસ્લામાબાદઃ તબલીગી જમાતે પોતાના દિલ્હી કાર્યક્રમના કારણે ભારતમાં ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે. પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ જમાતની ખૂબ ટીકાઓ થઈ રહી છે. જમાતે ગત મહિને પાકિસ્તાનમાં પણ પોતાનો કાર્યક્રમ કર્યો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર, પંજાબ પ્રાંતની સરકાર દ્વારા ભારે વિરોધ છતા પણ જમાતે ત્યાં પોતાનો વાર્ષિક કાર્યક્રમ આયોજિત કર્યો હતો. પંજાબ સ્પેશિયલ બ્રાંચે જણાવ્યું કે 10 માર્ચના રોજ થયેલા કાર્યક્રમમાં 70 થી 80 હજાર જેટલા લોકોએ ભાગ લીધો હતો.

તબલીગી જમાતના પ્રબંધને દાવો કર્યો કે, તેમના વાર્ષિક કાર્યક્રમમાં અઢી લાખથી વધારે લોકો પહોંચ્યા હતા. આમાં 40 દેશોના આશરે 3000 હજાર જેટલા લોકો જોડાયા હતા. તે લોકો અત્યારે પાકિસ્તાનથી પોતાના દેશમાં નથી જઈ શક્યા કારણ કે પાકિસ્તાને તમામ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ પર રોક લગાવી છે.

તબલીગી જમાતના એક હજારથી વધારે લોકોના કોરોના પોઝિટિવ મળી આવ્યા બાદ ભારત અને મલેશિયામાં સંગઠનની ખૂબ ટીકાઓ થઈ રહી છે. ભારતમાં સામે આવી રહેલા કોરોનાના કુલ કેસોમાં 30 ટકા જમાતી છે. પાકિસ્તાનની વાત કરીએ તો ત્યાં હજી સુધી 4196 લોકોમાં આ સંક્રમણની પુષ્ટી થઈ છે. ત્યાં 60 ટકા દર્દીઓના મોત થઈ ગયા છે.

તબલીગી જમાતના રાયવિંદ શહેરમાં થયેલા કાર્યક્રમ બાદ ત્યાં સેંકડો જમાતીઓના કોરોના પોઝિટિવ કેસો સામે આવવા લાગ્યા. બાદમાં બે લાખ જનસંખ્યા વાળા શહેરને પૂરી રીતે લોકડાઉન કરી દેવામાં આવ્યા છે. સંગઠન પર આરોપ છે કે, તેમણે કાર્યક્રમને લઈને પ્રશાસનના આદેશો અને સૂચનાઓને અવગણના કરવામાં આવી છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular