Sunday, June 22, 2025
Google search engine
HomeNewsNationalકોરોનાના કેસ વધીને 1500, દેશમાં 48 લોકોનાં મોત

કોરોનાના કેસ વધીને 1500, દેશમાં 48 લોકોનાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કેરળ, મધ્ય પ્રદેશ અને પશ્ચિમ બંગાળથી કોવિડ-19થી ત્રણ લોકોનાં મોત થયાં હતા. આ સાથે દેશમાં અત્યાર સુધી કોરોના વાઇરસના લોકોની સંખ્યા વધીને 1500 થઈ છે. આ સાથે દેશમાં અત્યાર સુધી 48 લોકોનાં મોત થયાં હતાં. જ્યારે 146 લોકો આ રોગમાંથી મુક્ત પણ થયા છે. આ સાથે આસામ અને ઝારખંડમાં પહેલો એક-એક પોઝિટિવ કેસ નોંધાયો છે.

સરકારે 16 કોરોના વાઇરસના નવા હોટસ્પોટ ઓળખી કાઢ્યાં

આ સાથે સરકારે 16 કોરોના વાઇરસના નવા હોટસ્પોટ ઓળખી કાઢ્યાં છે. આ સ્થળો દિલશાદ, ગાર્ડન અને દિલ્હીમાં નિઝામુદ્દીન, કેરળમાં પઠાનથિટ્ટા અને કસારાગોડ, યુપીના નોઇડા અને મેરુત, રાજસ્થાનના ભિલવારા અને જયપુર, મહારાષ્ટ્રમાં મુંબઈ અને પુણે, ગુજરાતમાં અમદાવાદ, મધ્ય પ્રદેશનું ઇન્દોર, પંજાબમાં નવાનશાહ, કર્ણાટકમાં બેંગલુરુ, તામિલનાડુમાં ઇરોડ અને આંદામાન અને નિકોબાર ટાપુ છે.    

2100 વિદેશીઓએ તબલિગી કામકાજ માટે ભારત મુલાકાત લીધી

સરકારે કહ્યું હતું કે દિલ્હીના નિઝામુદ્દીનના તબલિગી જમાતના વડા મથકની પહેલી જાન્યુઆરીથી અત્યાર સુધી 2,100 વિદેશી લોકોએ મુલાકાત લીધી હતી. દેશનાં 19 રાજ્યોના લોકો પણ આ મથકકની મુલાકાતમાં આવ્યા હતા હાલમાં આ મથક કોરોના વાઇરસનું સૌથી મોટું એપિ સેન્ટર બની ગયું છે. આ મરકઝમાં છેલ્લા 15 દિવસમાં 5000 લોકોએ મુલાકાત લીધી હતી. ગૃહ મંત્રાલયે કહ્યું હતું કે કુલ 303 તબલિગી એક્ટિવિટસ્ટમાં કોવિડ-19ના લક્ષણો જોવા મળ્યાં હતાં અને તેમને દિલ્હીની હોસ્પિટલોમાં મોકલી આપવામાં આવ્યા છે.

ગૃહ મંત્રાલયે વધુમા જણાવ્યું હતું કે અત્યાર સુધી 1,339 તબલિગી જમાત કામદારોને નરેલા, સુલતાનપુરી અને બક્કરવાલા સહિત વિવિધ હોસ્પિટલોમાં ક્વોરોન્ટાઇન સુવિધામાં મોકલી આપવામાં આવ્યા છે.

આ સાથે 21 માર્ચે આશરે 824 વિદેશીઓ દેશના વિવિધ ભાગોમાં મરકઝથી ફેલાઈ ગયા છે, જેમાંથી 216 લોકો નિઝામુદ્દીનના મરકઝમાં રહી રહ્યા છે

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular