Saturday, June 21, 2025
Google search engine
HomeNewsNationalॐ શાંતિ: બ્રહ્માકુમારીઝ સંસ્થાનાં પ્રમુખ શ્રદ્ધેય દાદી જાનકીનું નિધન

ॐ શાંતિ: બ્રહ્માકુમારીઝ સંસ્થાનાં પ્રમુખ શ્રદ્ધેય દાદી જાનકીનું નિધન

માઉન્ટ આબુઃ આધ્યાત્મિક સંસ્થા બ્રહ્માકુમારીઝનાં મુખ્ય પ્રશાસિકા રાજયોગિની દાદી જાનકીનું શુક્રવાર, 27 માર્ચે બહ્મમુહૂર્તમાં વહેલી સવારે સવા બે વાગ્યે નિધન થયું છે. તેઓ 104 વર્ષનાં હતાં. એમનાં ટ્વિટર હેન્ડલ પર આ સમાચારની જાણકારી આપવામાં આવી હતી.

આ સમાચારને પગલે દેશ-વિદેશમાં પ્રસરેલા બ્રહ્માકુમારી સંસ્થાનાં લાખો અનુયાયીઓમાં શોકની લાગણી ફરી વળી છે.

દાદી જાનકીએ માઉન્ટ આબુની ગ્લોબલ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધો હતો.

માઉન્ટ આબુમાં જ આવેલા સંસ્થાના મુખ્યાલય શાંતિવનમાં આજે બપોરે 3.30 વાગ્યે એમનાં અંતિમસંસ્કાર કરવામાં આવશે.

રાજયોગિની દાદી જાનકી કેન્દ્ર સરકારની સ્વચ્છ ભારત ઝુંબેશનાં બ્રાન્ડ એમ્બેસેડર હતાં.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular