Tuesday, June 10, 2025
Google search engine
HomeNewsNationalશાહીનબાગના પ્રદર્શનને સરકારના પ્રતિબંધો નથી નડતા?

શાહીનબાગના પ્રદર્શનને સરકારના પ્રતિબંધો નથી નડતા?

નવી દિલ્હીઃ કોરોના વાયરસના વધતા સંકટને ધ્યાને રાખતા દિલ્હી સરકાર દ્વારા માર્ચના અંત સુધીમાં 50 થી વધારે લોકોને એકત્ર થવા પર પ્રતિબંધ લગાવવાની જાહેરાત કર્યા બાદ પણ શાહીન બાગમાં અનેક લોકો એકત્ર થયા હતા. સીએએ વિરુદ્ધ મહિલાઓની આગેવાની વાળા ઘરણાને 93 દિવસ થઈ ગયા છે. ધરણાને યુવાનો અને કોલેજના વિદ્યાર્થીઓએ સંબોધિન કર્યું હતું. ધરણામાં મહિલાઓ અને બાળકો જોડાયેલા હતા. આમાં ફૈઝ અહમદ ફૈઝની કવિતાઓનું પઠન કરવામાં આવ્યું હતું. વિવિધતાઓમાં એકતા અને ક્રાંતિના નારા લગાવવામાં આવી રહ્યા હતા.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી કે કોરોના વાયરસના વધતા કહેરને ધ્યાને રાખતા રાષ્ટ્રીય રાજધાનીમાં 31 માર્ચ સુધી 50 થી વધારે લોકોની ઉપસ્થિતિ વાળા ધાર્મિક, સામાજિક સાંસ્કૃતિક કાર્યક્રમ અને રાજનૈતિક બેઠકો કરવાની મંજૂરી નહી હોય. તેમણે એપણ સંકેત આપ્યા કે આ પ્રતિબંધ દિલ્હીના શાહીનબાગ અને જામિયા મિલ્લિયા ઈસ્લામિયાની બહાર વિરોધ પ્રદર્શન કરનારી ભીડ પર લાગૂ થશે. મહત્વનું છે કે આ સંસ્થાનો પર સીએએ, એનઆરસી વિરુદ્ધ 15 ડિસેમ્બરથી ધરણા ચાલી રહ્યા છે.

શહેરમાં તમામ સાપ્તાહિક બજારો પર રોક લગાવી દેવામાં આવી છે અને તમામ શોપિંગ મોલને નિર્દેશ આપવામાં આવ્યા છે કે તેઓ પ્રવેશદ્વાર અને સ્ટોરમાં સેનેટાઈઝર ઉપ્લબ્ધ કરાવે.

કેજરીવાલે પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે, જિમ, નાઈટ ક્લબ અને સ્પા 31 માર્ચ સુધી બંધ રહેશે. તેમણે કહ્યું કે, 31 માર્ચ સુધી દિલ્હીમાં 50 થી વધારે લોકોની ઉપસ્થિતિ વાળા ધાર્મિક, સામાજિક, સાંસ્કૃતિક અને રાજનૈતિક કાર્યક્રમોને મંજૂરી નહી હોય. આ રોક પ્રદર્શનો પર પણ લાગૂ થશે.

કેજરીવાલને જ્યારે પૂછવામાં આવ્યું કે, જે રોક લગાવવામાં આવી છે તેમાં શાહીનબાગના પ્રદર્શનનો પણ સમાવેશ થશે? ત્યારે તેમણે કહ્યું હતું કે આ રોક તમામ પર લાગૂ થશે ભલે તે પ્રદર્શન હોય કે સભા. મુખ્યમંત્રીએ કહ્યું કે લગ્ન સમારંભો પર કોઈ પ્રતિબંધ નથી પરંતુ છતા લોકોને તારીખો લંબાવવાની સલાહ આપવામાં આવે છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular