Saturday, May 17, 2025
Google search engine
HomeNewsInternationalકોરોના વાઇરસ રોગચાળો જાહેરઃ યુરોપથી અમેરિકા યાત્રા પર 30 દિવસનો પ્રતિબંધ

કોરોના વાઇરસ રોગચાળો જાહેરઃ યુરોપથી અમેરિકા યાત્રા પર 30 દિવસનો પ્રતિબંધ

નવી દિલ્હી: કોરોના વાઇરસના કહેરને જોતાં અમેરિકીના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુરોપથી અમેરિકાના બધા પ્રવાસો પર 30 દિવસ સુધી પ્રતિબંધ મૂકી દીધો છે.અમેરિકાનો આ નિર્ણય વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) દ્વારા કોરોના વાઇરસને વિશ્વ માટે મહામારી (જીવલેણ) રોગ જાહેર કર્યાના એક દિવસ પચી આવ્યો છે. કોરોનાને મહામારી જાહેરત કરતાં WHOએ કહ્યું હતું કે આ વાઇરસથી અત્યાર સુધી વિશ્વભરમાં 4300થી વધુ લોકોનાં મોત થયાં છે. યુરોપિયન દેશ ઇટાલીએ કોરોના વાઇરસ વધુ પ્રસરતાં અટકાવવા માટે સંપૂર્ણ રીતે લોક ડાઉન જાહેર કર્યું છે. ખાડી દેશોએ પણ વિદેશોના આવાગમન માટે પ્રતિબંધ મૂક્યો છે.

કોરોના વાઇરસથી સંકળાયેલી 10 વાતો

  1. એર ઇન્ડિયાએ રોમ, મિલાન અને સોલ માટે પોતાની ફ્લાઇટો અસ્થાયી રૂપે બંધ કરી દીધી છે. કંપનીના કર્મચારીએ જણાવ્યું હતું કે રોમ, મિલાન અને સોલની ફ્લાઇટો મોટે ભાગે 15થી 28 માર્ચ સુધી બંધ રહેશે.
  2. દિલ્હીમાં રહેતા 46 વર્ષીય એક વ્યક્તિને બુધવારે તપાસ દરમ્યાન કોરોના વાઇરસની પુષ્ટિ થઈ હતી. એ વ્યક્તિએ ઇટલી સહિત ત્રણ દેશોનો પ્રવાસ કર્યો હતો. દિલ્હીમાં આ કેસના દર્દીની સંખ્યા પાંચની થઈ છે. સરકારે કહ્યું છે કે તેના આસપાસના 50 ધરોની નિગરાની કરાઈ ચૂકી છે.
  3. ભારતમાં કોરોના વાઇરસના કેસોની સંખ્યા વધીને 67 ટઈ છે. જોકે ભારતૈ કોરોના પ્રભાવિત દેશોના પ્રવાસ પર 31 માર્ચ સુધી પ્રતિબંધ મૂકી દીધો છે. રાજ્ય અને કેન્દ્ર સરકારે આ રોગને પ્રસરતો અટકાવવા અનેક પગલાં લીધાં છે.
  4. કોરોના કહેરને કારણે જમ્મુ-કાશ્મીર વહીવટી તંત્રે જમ્મુના પાંચ જિલ્લાઓમાં પ્રાથમિક સ્કૂલો અને આંગણવાડી કેન્દ્રોને 31 માર્ચ સુધી બંધ રાખવા આદેશ કર્યો છે.
  5. કોરોના વાઇરસના ખોટા સમાચાર ફેલાવશે એ વ્યક્તિને દંડ કરવામાં આવશે.
  6. વૈશ્વિક સ્તરે કોરોના વાઇરસના દર્દીઓની સંખ્યા 1,19,400થી વધી ગઈ છે, જેમાં 4,300 લોકોનાં મોત થયાં છે.
  7. વિદેશ પ્રધાન એસ જયશંકરે કહ્યું હતું કે ઇટલી અને ઇરાનમાં આ રોગ માટે બહુ ચિંતાનું કારણ છે. ત્યાંથી ભારતીયોને પાછા લાવવાના પ્રયાસો ચાલુ છે.
  8. જયશંકરને કહ્યું કે આ બીમારી આશરે 90 દેશોમાં ફેલાઈ ગઈ છે. વિશ્વભરમાંથી ભારતીયોને પાછી લાવવાની પ્રક્રિયા ચાલુ છે
  9. અત્યાર સુધી કોરોના વાઇરસથી પ્રભાવિત દેશોમાંથી 948 પ્રવાસીઓને કાઢી શકાયા છે, જેમાંથી 900 ભારતીય નાગરિકો છે
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular