Tuesday, December 16, 2025
Google search engine
HomeNewsNationalબિહારમાં વિધાનસભા ચૂંટણી પૂર્વે મહાગઠબંધનમાં પડ્યા બે ફાંટા

બિહારમાં વિધાનસભા ચૂંટણી પૂર્વે મહાગઠબંધનમાં પડ્યા બે ફાંટા

પટણાઃ બિહારમાં સત્તારુઢ નીતિશ કુમારના નેતૃત્વ વાળી એનડીએની વિરુદ્ધ મહાગઠબંધનમાં ફાંટા પડ્યા છે. એકનું નેતૃત્વ આરજેડી નેતા તેજસ્વી યાદવ કરી રહ્યા છે અને બીજાનું નેતૃત્વ હજી પસંદ કરવાનું બાકી છે. ગત શુક્રવારના રોજ શરદ યાદવ પટણા આવ્યા ત્યારે આ મામલે બેઠક થઈ હતી, જેમાં ઉપેન્દ્ર કુશવાહા, પૂર્વ મુખ્યમંત્રી જીતનરામ માંઝી અને મુકેશ નિષાદ જોડાયા હતા.

આ જૂથના કેટલાક નેતાઓએ શરદ યાદવના નેતૃત્વમાં વિધાનસભા ચૂંટણી લડવાની પણ માંગ કરી. અત્યારે સ્પષ્ટ છે કે લોકસભા ચૂંટણી બાદ આરજેડી નેતૃત્વથી વધારે પ્રાથમિકતા ન મળવાના કારણે આ નેતાઓ પાસે હવે પોતાનો રસ્તો પસંદ કરવા સીવાય અન્ય કોઈ વિકલ્પ નથી બચ્યો. તો આરજેડીનું કહેવું છે કે આ નેતાઓ સાથે વાતચીતની એક સીમાથી વધારે શક્ય એટલા માટે નથી કારણે કે તમામ મુખ્યમંત્રી પદના ઉમેદવાર છે અને સીટોની સંખ્યાની માંગ તેમની પાર્ટીમાં સ્થિત નેતાઓથી ક્યાંય વધારે હોય છે. અત્યારે આરજેડી સુપ્રીમો તરફથી એ વાતના કોઈ સંકેત મળ્યા નથી કે વિધાનસભા ચૂંટણીમાં આ લોકોને સાથે રાખવા છે કે નહી.

શુક્રવારના રોજ થયેલી બેઠક બાદ શરદ યાદવે સત્તાવાર જાહેરાત કરીને જણાવ્યું હતું કે તેઓ લાલુ પ્રસાદ યાદવ સાથે મુલાકાત કરીને સમન્વય સમિતિ અને બેઠકોની વહેચણી વિશે ચર્ચા કરશે. શરદ યાદવ આજે રાંચીમાં લાલુ પ્રસાદ સાથે મુલકાત કરી શકે છે. જોકે, કોંગ્રેસે બિહાર નેતૃત્વની આ બેઠકથી અંતર રાખ્યું હતું.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular