રાશિ ભવિષ્ય 09/12/19થી 15/12/19

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે સમય અનુકુળ છે, યાત્રાકે જાત્રા થઈ શકે છે અને તેમાં ધાર્યા કરતા વધુ ખર્ચા થાય, અધ્યાત્મિક પ્રવચનો સંભાળવાના યોગ વધુ છે, જમીન,મકાન, વાહન, સંબંધિત કોઈ અટકેલા કામ પુરા થઈ શકે, વાહન ધીમે ચલાવવું તેમજ મુસાફરીમાં તકેદારી રાખવી. વેપારમાં કામકાજ કરતી વખતે કામમાં ધ્યાન કેન્દ્રિત ઓછું થવાથી ક્યાંક ઉતાવળિયા નિર્ણય લેવાયાની લાગણીનો અનુભવ થયા કરે, લોન લેવામાંકે ચૂકવામાં સરળતાનો માર્ગ મળી શકે છે, લગ્નબાબતની વાતચીતકે મિલનમુલાકાતમાં સફળતાકે વાત આગળ ચાલવાના યોગ બની રહ્યા છે

———————————————————————————————————————-

પરિવારકે મિત્રો સાથે મનોરંજન અને ઈતરપ્રવૃત્તિમાં મન વધુ લગાવો તેવું બની શકે છે, જૂનીયાદથી ઘણા લાગણીશીલ બનો, સામાજિક, ધાર્મિકપ્રસંગમાં તમારી હાજરી પ્રભાવશાળી બની શકે છે. વેપારના કામકાજમાં ઉત્સાહ થોડો ઓછો  જોવા મળે તેવું બની શકે છે. જુનામતભેદ ભૂલવાની તક મળી શકે છે. નવીનોકરી કે ફેરબદલી કરવામાટે ધીરજ રાખવી, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે કોઈ વસ્તુ શીખવી હોય તો આ સમયમાં પ્રયત્ન કરવો સારો છે. કાયદાકીય બાબતના પ્રશ્નોમાં સલાહ સુચન બાદ આગળ વધવું, મનપસંદ ખરીદી થઈ શકે છે, પ્રિયજન સાથે સુખદ સમય પસાર થાય

———————————————————————————————————————–

કોઈપણ કામકાજ દરમિયાન થોડી ધીરજ રાખવી જરૂરી છે ઉતાવળીયે કામકાજમાં ગેરસમજ થઈ શકે છે. કોઈ જગ્યાએ આકસ્મિકખર્ચ થાય તેવું પણ બની શકે છે. આરોગ્યબાબત પરેજી પાળવી વધુ જરૂરી બને છે. વેપારના કામકાજમાં ધીરજ અને અનુભવ થી કામકાજ કરવું અન્યની વાતમાં દોરવાઈના જવાય તે માટે ધીરજ જરૂરી છે. નોકરીકે વ્યવસાયમાં સમયનો દુરુપયોગ અને કારણવગરની કામકાજમાં સમસ્યાના થાય તેનું ધ્યાન રાખવું, જરૂરપુરતોજ વ્યવહાર યોગ્ય કહી શકાય, પ્રેમસંબંધમાં થોડાક ઉતર –ચઢાવ થઈ શકે છે માટે ધ્યાન રાખવું જરૂરી કહી શકાય, વાહન ધીમે ચલાવવું ઇચ્છનીય છે

———————————————————————————————————————–

તમારા કામની કદર થોડી ઓછી થાય, ક્યાંક નવીનઓળખાણ થઇ શકે છે તેમાં લાભની વાત આપ-લે થઇ શકે છે. કુટુંબમાંકે આસપાસના કોઈ જાહેરકાર્યક્રમમાં જવાના યોગ છે તેમાં તમે થાકની લાગણી વધુ અનુભવો, વેપારના કામકાજમાં તમને ઉત્સાહ ઓછો અને કાર્યમાં આળસ કરવાની વૃતિ જાગે, યુવાવર્ગને તેમના મિત્રવર્તુળમાંથી સારી જાણકારીકે વાત સંભાળવા મળે પરંતુ તેમાં તેમનો સહયોગ ઓછો પ્રાપ્ત થઇ શકે છે, નજીકના સગાસ્નેહીના સ્વસ્થની ચિંતા થાય તેવા યોગ પણ ઉભા થઇ શકે છે પરંતુ તેમાં મોટી કોઈ વિટંબણા ઉભીના થવાથી થોડી રાહત અનુભવી શકો છો, કાનૂની વાદ-વિવાદમાં તકેદારી રાખવી

———————————————————————————————————————–

આ સપ્તાહ દરમિયાન થોડો માનસિક ઉદ્ગ્વેગ જોવા મળી શકે છે ક્યાંક અશાંતિ રહ્યા કરે. વેપારના કામકાજમાં ધીરજનો અને અનુભવનો અભાવ વર્તાય અને તેની અસર પણ કામકાજમાં દેખાઈ આવે, આરોગ્યની નાનીનાની તકલીફથી પણ પરેશાની રહે, ભાગીદારીમાં કે દામ્પત્યજીવનમાં તમારી લાગણી દુભાતી હોય તેવું તમને માનસિક રીતે વધુ લાગે પણ જો શાંતિ જાળવી પ્રભુ ભક્તિમાં ધ્યાન અને મન પરોવી રાખો તો ઘણી માનસિક શાંતિનો અનુભવ કરી શકો છે. ધીરજ અને આત્મવિશ્વાસ રાખશો તો કામ સરળતા વાળું બની રહશે, મુસાફરી થોડી કંટાળાજનક બની શકે છે

———————————————————————————————————————–

અશાંતિ અને દ્વિધા હોયતો તેનું નિરાકરણ આવી શકે છે, સામાજિકકે ધાર્મિકકાર્યમાં કઈ પ્રવૃત્તિ કરવાનું મન થાય, વેપારના કામકાજમાં કોઈ સમાચાર તમારા વિચારો અને  દ્વિધામાં વધારો કરી શકે છે, નોકરિયાત વર્ગને પોતાના ઉપરી સાથે માનસિકતનાવથી બચવું, ઘણી જૂનીઓળખાણ તાજી થાય અને તેમાં તમારું મન આનંદની લાગણીશીલ બની જાય. વિદ્યાર્થીવર્ગકે યુવાવર્ગ જે કોઈ નોકરીકે વ્યવસાયમાં નવીનતા ઇચ્છતું હોય તેમના માટે કોઈ સારી તક દેખાય પરંતુ તેમાં હાલ કોઈ ઉતાવળના કરવી અને યોગ્ય વ્યક્તિની સલાહ લેવી, ઘરની જવાબદારીમાં ધ્યાન વધુ આપવું પડે તેવા સંજોગો ઉભા થઈ શકે છે

———————————————————————————————————————–

આર્થિકબાબતની ચિંતા અને નવા આયોજનબાબતમા અન્યનો સાથસહકાર મળી  શકે છે તેમજ મિલકત અંગેના કોઈ પ્રશ્નમા કોઈ રુકાવટ હોયતો તે દુર થઈ શકે છે, યુવાવર્ગ માટે પણ આસપ્તાહ દરમિયાન સારા સંજોગ ઉભા થવાના યોગ છે,  જૂનીવાતકે કામના ઉકેલમા અન્યનો સહયોગ ઓછો જોવા મળે શકે છે. વેપારના કામકાજમા ગણતરી અને આયોજનપૂર્વકના કામકાજ કરવા યોગ્ય છે.,મુસાફરીકે પ્રવાસના યોગ પણ બની રહ્યા છે તેમા તમે ઓછો ઉત્સાહ અનુભવી શકો છે, માર્કેટિંગક્ષેત્રમા તમારે ધીરજ વધુ રાખવી પડે અને ક્યાંક સમયનો વધુ દુરવ્યય થયાની વ્યથા પણ જોવા મળી શકે છે

———————————————————————————————————————–

કામકાજમાં અચાનક વધારો થઈ જાય અને તમે થોડા માનસિક રીતે અસ્વસ્થ બનો પરંતુ તેમાં તમારાથી કોઈની લાગણીના દુભાયકે કોઈની ઉશ્કેરાટના ભોગના બનાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે. ઘરમાં કે નજીક ના સગા-સ્નેહીમાં કોઈ અણબનાવકે મનદુઃખ થયું હોયતો તેવા સંબંધને સુધારવાની કોશિશ કરતા તેમાં પણ સફળતા દેખાઈ શકે છે. વેપારના કામકાજમાં તમને યોગ્ય પ્રતિસાદ મળી શકે છે. તમારો મોભો,પ્રતિષ્ઠા તમે કરેલા કોઇ કામમાં સારી ઉપસી આવે, નવીનકાર્ય કરવામાં તમને અન્યનો સાથ સહકારકે માર્ગદર્શન સારું મળી શકે છે, વ્યવસાયિક કામકાજ માટેની યાત્રા લાભદાયી બની શકે છે

———————————————————————————————————————–

આત્મવિશ્વાસ સારો જોવા મળે અને પ્રભાવશાળી વ્યક્તિત્વ બને, મહત્વના કામ કરવા માટેના પ્રયત્નમાં સફળતા મળે, રાજકીયકે સરકારીકામકાજમાં ધાર્યું થવાથી ઉત્સાહમાં વધારો થાય, મન થોડું મોજશોખ પાછળ દોરવાય અને ક્યાંક તેની પાછળ ખર્ચા પણ થાય, કોઈ કાર્યમાં ધીરજ અને અનુભવ તમને સૌથી વધુ મદદગર બની શકે છે, નવીઓળખાણ લાભદાયી બની શકે છે, કોઇપણ પ્રકારની મુસાફરી થાય, સ્પર્ધાત્મકપરીક્ષા આપનારવર્ગ માટે સમય અનુકુળ છે, માર્કેટિંગક્ષત્રમાં આયોજન કરી કામકાજ કરતા સારા પરિણામ મેળવી શકાય, લગ્નબાબતની વાર્તાલાપકે મિલનમુલાકાત લાભપ્રદ બની શકે છે

———————————————————————————————————————–

મિત્રોકે પરિવાર સથે કોઈ કાર્યક્રમમાં જવાના યોગ છે તેમાં તમને સારી ખુશી અનુભવાય, આર્થિકબાબત પરના આયોજન સારા થઈ શકે છે, વેપારના કામકાજમાં લાભની કોઈવાત થઈ શકે છે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે કોઈ વિષય શીખવામાં વધુ મહેનત કરવાથી સારાફળની પ્રાપ્તિ થઇ શકે છે, કોઈ અગત્યની વાતચીતકે મિલનમુલાકાતમાં કોઈનો સહયોગ લેવો વધુ ફાયદાકારક બની શકે છે. વિદેશજવા ઈચ્છા રાખનાર વર્ગ આસપ્તાહ દરમિયાન કોઈપણ પ્રકારની કાર્યવાહી કરેતો તેમાં પણ યોગ્ય પ્રતિસાદ મળી શકે, ધીરજથી કામકરવામાં સફળતા મેળવવી સરળ બનશે, યાત્રાકે જાત્રા માટેનું આયોજન થઈ શકે છે

——————————————————————————————————————————————

કામકાજમાં વ્યસ્તતા,માનસિકથાક વધુ લાગે, કોઈનો સહયોગ થોડો ઓછો જોવા મળે પણ ધીરજ અને પોતાના આત્મવિશ્વાસથી કામમાં રચ્યાપચ્યા રહેવું વધુ યોગ્ય છે, ઘરમાં વડીલવર્ગકે ઓફીસમાં ઉપરી અધિકારી સાથે વાર્તાલાપ દરમિયાન વિચારમતભેદ થાય પણ તેમાં પણ પરિસ્થિતિ સુધરી જાય, આવક વધારવા વધુ પ્રયત્ન કરવો પડે, પસંદગીની વ્યક્તિ તરફથી સારું વલણ જોવા મળે અને તેમાં તમને સારી લાગણીનો અનુભવ થાય, પ્રભુભક્તિ તરફ મન વધુ પરોવાઈ શકે છે તેમજ કોઈ ધાર્મિકસ્થળની મુલકાત થવાના યોગ પણ છે, યુવાવર્ગ માટે મશ્કરી જેવી બાબતથી થોડા દુર રહેવું સલાહભર્યું કહી શકાય

———————————————————————————————————————–

ઘરકે પરિવારમાં શુભસમાચાર સંભાળવાથી ખુશીનું માહોલ જોવા મળે, લાભની વાત આપ-લે થઇ શકે છે, વેપારના કામકાજમાં પણ તમને ઉત્સાહ જોવા મળી શકે છે. વાર્તાલાપ દરમિયાન શબ્દપ્રયોગ પર ધ્યાન આપવું જેથી ગેરસમજ ટાળી શકાય, મુસાફરીકે પ્રવાસનું આયોજન થઈ શકે છે, પેટ,અપચાની તકલીફથી સાચવવું, વડીલવર્ગને જુનાસંભારણા વધુ તાજા થાય, કામકાજમાં સફળતા મળે તવું બની શકે છે, કામનો ભાર રહે પરંતુ તેમાં અન્યનો સહયોગ પણ જોવા મળે, કામકાજ માટેની મુસાફરી નવીન અનુભવ કરાવે, કોઈ ખરીદી કે ફરવા જવાના યોગ પણ છે જેમાં તમને સારી ખુશી થાય