કંદના પકોડામાં સ્વાદ કેવી રીતે વધારશો?

સામગ્રીઃ કંદ, ચણાનો લોટ, કાળાં મરીનો પાવડર અથવા ચાટ મસાલો, અજમો, આદુ-મરચાંની પેસ્ટ, મીઠું સ્વાદાનુસાર, તેલ તળવા માટે,

રીતઃ કંદને છોલીને આખું (સુધારતાં પહેલાં) ધોઈ લો. પાણી નિતારીને કંદની પાતળી ચોરસ અથવા ગોળ ચિપ્સ (1–1½ ઈંચ જેટલી) ભજીયા માટે સુધારી લો.

ચણાના લોટમાં મીઠું, મસાલો, અજમો તેમજ પાણી નાખીને ભજીયાનું ખીરૂં બનાવી લો. એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકીને કંદની એક એક ચિપ્સ ખીરામાં બોળીને તેલમાં તળી લો. ભજીયા ઉતારીને પ્લેટમાં ગોઠવતી વખતે દરેક ભજીયા ઉપર થોડો કાળાં મરીનો પાવડર અથવા ચાટ મસાલો છાંટી દો. એનાથી ભજીયાનો સ્વાદ વધી જશે.