ટેરર ફંડિંગ કેસઃ NIAને મળ્યા સજ્જડ પુરાવા, નહી બચી શકે હુર્રિયતના નેતાઓ

નવી દિલ્હી- ટેરર ફંડિંગ કેસની તપાસ કરી રહેલી નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સીને આખરે હુર્રિયતના મોટા નેતાઓ વિરૂદ્ધ પૂરતા પુરાવાઓ મળી ગયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ પુરાવાઓના આધારે હવે સૈયદ અલી શાહ ગિલાની, મીરવાઈઝ ઉમર ફારૂક અને યાસિન મલિક જેવા મોટા અલગાવવાદી નેતાઓ પર ગાળીયો કસવા માટેની તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. આ કેસમાં પાંચ આરોપીઓ છે અને અન્ય પુરાવાને દંડ પ્રક્રિયા સંહિતાની કલમ 164 અંતર્ગત નોંધવામાં આવ્યા છે, જે અદાલતમાં માન્ય હોય છે. નિવેદનોમાં બતાવવામાં આવી રહ્યું છે કેવી રીતે હુર્રિયતના ટોચના નેતાઓએ પાકિસ્તાનથી કાશ્મીરમાં આતંક અને હિંસા ફેલાવવા માટે ફંડ એકત્ર કર્યું હતું.તો આ સિવાય ધરપકડ કરાયેલા એક શખ્સના ઘરે પાડવામાં આવેલા દરોડા દરમિયાન એનઆઈએને કેટલાય એવા દસ્તાવેજો પ્રાપ્ત થયા છે જે હવાલા દ્વારા પાકિસ્તાન સ્થિત સ્ત્રોતોથી હુર્રિયત નેતાઓ સુધી ફંડ પહોંચાડ્યા હોવાની તમામ વાતનો પર્દાફાશ કરે છે. માનવામાં આવી રહ્યું છે કે કોર્ટમાં આ દસ્તાવેજો હુર્રિયતના નેતાઓને બેનકાબ કરવા માટે પુરતા છે.

પુરાવાઓના આધારે હવે સૈયદ અલી શાહ ગિલાની, મીરવાઈઝ ઉમર ફારૂક અને યાસિન મલિક જેવા મોટા અલગાવવાદી નેતાઓ પર ગાળીયો કસવા માટેની તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. જોકે સરકારમાં રહેલા એક વર્ગનુ એવું પણ માનવું છે કે આ તકનો ઉપયોગ હુર્રિયત નેતાઓને કશ્મીર પર સરકારનું વલણ લાવવા માટે કરવામાં આવવો જોઈએ. સંયોગ એવો બન્યો છે ધરપકડ કરાયેલા કેટલાક અન્ય લોકોએ પણ મેજીસ્ટ્રેટ સામે પોતાનું નિવેદન નોંધવાવા માટેની ઈચ્છા વ્યક્ત કરી છે. જો કે એનઆઈએ તેમને પુરાવા બનાવવા માટેના પક્ષમાં નથી, તે તેમને આ કેસમાં આરોપી તરીકે જ જોવા માંગે છે.