IRCTC પરથી ટિકીટ લેવાથી માર્ચ મહિના સુધી નહીં લાગે સર્વિસ ચાર્જ

નવી દિલ્હીઃ ભારતીય રેલવેમાં યાત્રા કરતા યાત્રિકો માટે મોટી ખુશખબર છે. આઈઆરસીટીસીથી ઓનલાઈન ટ્રેનની ટિકીટ બૂક કરાવવા પર માર્ચ મહિના સુધી સર્વિસ ચાર્જ નહી આપવો પડે. ગત વર્ષે નવેમ્બર માસમાં લાગુ કરવામાં આવેલી નોટબંધી બાદ કેન્દ્ર સરકાર દ્વારા ડિજિટલ ટિકીટ બૂક કરવા પર સર્વિસ ચાર્જ માફ કરી દેવામાં આવશે. પહેલા આ સુવિધા માત્ર 30 જૂન સુધી હતી ત્યારબાદ 30 સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવી અને હવે સર્વિસ ચાર્જ ન આપવાની તારીખને માર્ચ 2018 સુધી લંબાવવામાં આવી છે. આપને જણાવી દઈએ કકે આઈઆરસીટીસીથી ઓનલાઈન ટિકીટ બૂક કરાવવાથી 20 થી 40 ટકા રૂપિયા પ્રતિ ટિકીટનો સર્વિસ ચાર્જ લાગે છે.

29 સપ્ટેમ્બરના રોજ આઈઆરસીટીસી, રેલવે ટિકીટ એજંસી અને રેલવે બોર્ડ દ્વારા યાત્રિકોને સર્વિસ ચાર્જ ન આપવાની સુવિધા વધુ લંબાવવા માટે નિર્દેશ આપવામાં આવ્યા હતા. હિંદુસ્તાન ટાઈમ્સ અનુસાર આ મામલે વાત કરતા રેલવેના એક વરિષ્ઠ અધીકારીએ જણાવ્યું કે 33 ટકા આઈઆરસીટીસીનુ રાજસ્વ ઓનલાઈન બૂકિંગના વસૂલનારા સર્વિસ ચાર્જથી આવે છે. ગયા નાણાકિય વર્ષના રાજસ્વ સંગ્રહની વાત કરીએ તો 1500 કરોડ ટિકીટ બુકિંગ પર આઈઆરસીટીસીને 540 કરોડ રૂપિયાનુ રાજસ્વ મળ્યું હતું,