મોહન ભાગવતની કારનો મથુરા પાસે અકસ્માત, સંઘ પ્રમુખ સુરક્ષિત

મથુરા- રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતનો એક માર્ગ અકસ્માતમાં આબાદ બચાવ થયો છે. મોહન ભાગવત ઉત્તર પ્રદેશના મથુરામાં યમુના એક્સપ્રેસ વે પર જઈ રહ્યા હતા જ્યાં તેઓના કાફલાની ગાડીઓ એકબીજા સાથે ટકરાઈ ગઈ હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર મોહન ભાગવતના કાફલાની એક ગાડીનું ટાયર ફાટી ગયું હતુ, જેના કારણે આ અકસ્માત સર્જાયો હતો. મોહન ભાગવત વિજય કૌશલજીના આશ્રમમાં અત્યારે રોકાયા છે. સંઘ પ્રમુખ મોહન ભાગવત સતત દેશમાં અલગઅલગ જગ્યાઓની મુલાકાત લઈ રહ્યા છે. થોડા સમય પહેલા જ તેઓ બંગાળની મુલાકાતે પણ ગયા હતા અને થોડા સમયમાં તેઓ બિહારની મુલાકાતે પણ જવાના છે. તેઓએ બે દિવસ પહેલા નિવેદન આપ્યું હતું કે હિંદુ અને મુસલમાન પોતાની સહમતિથી ભારતને શ્રેષ્ઠ બનાવી શકે છે, પરંતુ ભારતને નંબર વન હિંદુત્વ જ બનાવી શકે છે કારણ કે હકીકતમાં મુસલમાન પહેલા હિન્દુ હતા પણ પછીથી તેઓ મુસલમાન બની ગયા.