માલ્યા, લલિત મોદીના પ્રત્યાર્પણમાં મદદરૂપ થવા ભારતે બ્રિટિશ સરકારને વિનંતી કરી

નવી દિલ્હી – લિકર ઉદ્યોગના મહારથી વિજય માલ્યા અને આઈપીએલ ક્રિકેટ સ્પર્ધાના ભૂતપૂર્વ આયોજક લલિત મોદીનું વહેલી તકે ભારતને પ્રત્યાર્પણ કરવામાં તેમજ હીરાના વેપારી નીરવ મોદીને શોધવામાં મદદરૂપ થવાની ભારતે બ્રિટનને વિનંતી કરી છે.

ભારત અને બ્રિટન વચ્ચે ગૃહ પ્રધાન સ્તરે આજે નવી દિલ્હીમાં થયેલી મંત્રણા વખતે ભારતે આ વિનંતી કરી હતી.

ભારત સરકારે બ્રિટિશ સરકારને બીજી એ વિનંતી પણ કરી છે કે તે ભારત-વિરોધી પ્રવૃત્તિઓ માટે બ્રિટનની ધરતીનો ઉપયોગ કરવા ન દે.