મોદી સરકારની ત્રણ નબળાઈઓને 2019માં કોંગ્રેસ બનાવશે હથિયાર!!

નવી દિલ્હી- 2019ના પ્રથમ ઈન્ટરવ્યુમાં ભલે વડાપ્રધાન મોદીએ કૃષિ સંકટ, બેરોજગારી, જીએસટી સહિતના મુદ્દાઓ પર લોકોની નારાજગીથી ભલે ઈનકાર કર્યો હોય, પરંતુ મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસે આગામી લોકસભા ચૂંટણીમાં આ તમામ મુદ્દાઓ પર જ ફોકસ કરવા જઈ રહી છે. પાર્ટી સુત્રોના જણાવ્યા અનુસાર આ ત્રણ મુદ્દાઓ પાર્ટીની ઘોષણા પત્ર સમિતિ આગામી મેનિફેસ્ટોમાં સમાવવા માટે રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં વિચાર કરી રહી છે.

ત્રણ રાજ્યો (મધ્યપ્રદેશ, છત્તિસગઢ અને રાજસ્થાન)માં મળેલી જીત બાદ કોંગ્રેસ ત્યાંના મુદ્દાઓને હવે રાષ્ટ્રીય સ્તર પર લાગૂ કરવા ઈચ્છી રહી છે. જેના માટે પાર્ટી ટુંક સમયમાં જ રાષ્ટ્રીય સ્તરનો કાર્યક્રમ અને ચૂંટણી અભિયાન છેડવા જઈ રહી છે.

ત્રણ રાજ્યોની વિધાન સભા ચૂંટણી ઉપરાંત કોંગ્રેસ ગુજરાત વિધાન સભા ચૂંટણીમાં પણ છે, ખેડૂતોના મુદ્દે ચૂંટણી લડી ચૂકી છે, અને ભાજપના વિજય રથને 99 પર જ અટકાવી દીધો હતો. જોકે, ખેડૂતોના મુદ્દે ચૂંટણી લડ્યા બાદ કોંગ્રેસમાં થોડો જીવ આવ્યો છે, જેને હવે રાષ્ટ્રવ્યાપી મુદ્દો બનાવવા જઈ રહી છે.

ત્રણ રાજ્યોમાં કોંગ્રેસે મોટા પાયે ખેડૂતોની લોન માફીની જાહેરાત કરી છે. ચૂંટણીના વચન અનુસાર સરકાર ગઠનના 10 દિવસોની અંદરમાં લોન માફીની જાહેરાત કરી હતી. જેને કોંગ્રેસે સમયની પહેલા જ કરી બતાવ્યું. કોંગ્રેસ સુત્રોના જણાવ્યા અનુસાર તેમની રણનીતિથી ખેડૂતો અને યુવાઓની કોંગ્રેસ પાર્ટી તરફ આકર્ષણ વધી રહ્યું છે. પાર્ટી 2019ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ મુદ્દાઓને ચૂંટણી ઘોષણા પત્રમાં સમાવવા જઈ રહી છે.

તમને જણાવી દઈએ કે, નરેન્દ્ર મોદીએ 2014ની ચૂંટણીમાં દર વર્ષે બે કરોડ લોકોને નોકરી આપવાનું વચન આપ્યું હતું. કોંગ્રેસ તેને મોટો મુદ્દો બનાવતા યુવાઓને આકર્ષિત કરવાના ફિરાકમાં છે. આ સાથે કોંગ્રેસના ખેડૂતના મુદ્દે મોદી સરકાર વિરુદ્ધ દેશવ્યાપી અભિયાન છેડવાનું એલાન કર્યું છે.

ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે ઓક્ટોબરમાં કોંગ્રેસે એક વેબસાઈટ લોન્ચ કરી હતી, જેમાં ચૂંટણી ઘોષણા પત્ર માટે લોકો પાસેથી મંતવ્યો મંગાવ્યા હતાં. આ ઉપરાંત પાર્ટી દેશભરમાં ફરીને લોકો પાસેથી ગ્રાઉન્ડ રિયાલિટીના આધારે સુચનો સંગ્રહ કરી રહી છે.