ડોકલામમાં ચીની સૈનિકોની સક્રિયતા વધી, અમેરિકા ભારતના પક્ષમાં

નવી દિલ્હી- ડોકલામમાં ચીની સૈનિકોની એકવાર ફરીથી સક્રિયતા વધી ગઈ હોવાના કારણે ભારત અને અમેરિકા પોતાના રણનૈતિક સંબંધોને મજબૂત કરવામાં લાગ્યા છે. ડોકલામમાં ચીની સેના દ્વારા સડક નિર્માણ અને ભૂતાનની સીમામાં અતિક્રમણને જોતા બંન્ને દેશો પોતાના રણનૈતિક સંબંધો વધારે મજબૂત બનાવી રહ્યા છે. થોડા સમય પહેલા ચીન અને ભારતના સૈનિકો વચ્ચે ડોકલામમાં થોડો વિવાદ થયો હતો, તે દરમિયાન ટ્રમ્પ પ્રશાસને ભારતનો ખુલીને વિરોધ કર્યો હતો. આ મહિને થનારી ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટીની બેઠક પહેલા એકવાર ફરીથી ડોકલામમાં પીપલ્સ લિબરેશન આર્મીએ સરહદ પર પોતાની સક્રિયતા વધારી દીધી હતી.

ભારતમાં અમેરિકી રાજદૂત મૈરીકે એલ કાર્લસને ભારતના વિદેશ સચિવ એસ. જયશંકરની યાત્રા બાદ થિમ્પૂની યાત્રા કરી હતી. આ યાત્રા દરમિયાન કાર્લસને પીએમ થેરિંગ તોબગે સાથે વર્તમાન પરિસ્થિતિઓને લઈને વાત કરી હતી. મહત્વની વાત એ છે કે અમેરિકાનું કોઈ રાજનૈતિક મિશન નથી અને ભારત સ્થિત દૂતાવાસથી તે અહીંયાની પરિસ્થિતી પર નજર રાખે છે. ભારત માટે ચીનના આ આક્રમક વલણ સામે લડવું એક તે એક મોટો પડકાર છે, ત્યારે આ પરિસ્થિતી વચ્ચે ડોકલામ ક્ષેત્ર પર અમેરિકા પણ પોતાની નજર રાખી રહ્યું છે.

ડોકલામમાં ચીન અને ભારતની સેના વચ્ચે તણાવની સ્થિતી દરમિયાન 15 ઓગષ્ટના રોજ અમેરિકાના રાષ્ટ્રપતિએ પીએમ મોદીને ફોન કર્યો હતો. ફોન પર થયેલી વાતમાં અમેરિકી રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન મોદીને આઝાદીની 70મી વર્ષગાંઠની વધામણી આપવાની સાથે જ ક્ષેત્રીય શાંતિ અને સ્થિરતા માટે ચીન સાથે વિવાદને પતાવવાની સલાહ આપી હતી.