21 વિપક્ષોના સમૂહને સુપ્રીમ કોર્ટનો ઝટકોઃ VVPAT અંગે પુનઃવિચારણા નહીં

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીની વચ્ચે આજે સુપ્રીમ કોર્ટમાં ઇવીએમ અને વીવીપેટની પરચીને મેળવવાને લઇ સુનાવણી કરી. વિપક્ષ દ્વારા દાખલ કરાયેલ પુન:ર્વિચાર અરજીને સુપ્રીમ કોર્ટે રદ દીધી છે. આ અરજીને ટીડીપી અને કોંગ્રેસ સહિત 21 વિપક્ષી દળોએ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી હતી. આ પક્ષોની માગણી હતી કે 50 ટકા વીવીપેટ પરચીને ઇવીએમ સાથે મેળવવાનો આદેશ ચૂંટણી પંચને આપવામાં આવે. સુનાવણી માટે ચંદ્રબાબુ નાયડુ, ડી.રાજા, સંજય સિંહ અને ફારૂક અબ્દુલ્લા હાજર રહ્યાં હતાં.

સુનાવણી દરમિયાન વિરોધ પક્ષ તરપથી ચંદ્રાબાબુ નાયડુ, ડી. રાજા, સંજય સિંહ અને ફારુક અબ્દુલ્લા કોર્ટમાં હાજર રહ્યા હતા. અરજીને ફગાવી દેતાં મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈએ જણાવ્યું કે, કોર્ટ આ કેસની સુનાવણી વારંવાર શા માટે કરે? તેમણે કહ્યું કે, કોર્ટ આ કેસમાં હસ્તક્ષેપ કરવા માગતી નથી.

ઉલ્લેખનીય છે કે, ગયા મહિને કરવામાં આવેલી આ અરજીની સુનાવણીના ચૂકાદામાં સુપ્રીમ કોર્ટે દરેક વિધાનસભા વિસ્તારમાં ઓછામાં ઓછા પાંચ બૂથના ઈવીએમ અને વીવીપીએટી મશીનની ચિઠ્ઠીના મતને ચેક કરવાનો આદેશ આપ્યો હતો. ચૂંટણી પંચે સુપ્રીમના આ આદેશને સ્વીકારી પણ લીધો હતો. કોર્ટે જણાવ્યું હતું કે, દરેક ચૂંટણી ક્ષેત્રમાંથી 5 વીવીપેટ મશીનનું ઈવીએમમાં નાખવામાં આવેલા મત સાથે સરખામણી કરવી જોઈએ. આ અગાઉ માત્ર એક જ વીવીપેટ મશીનની સરખામણી કરવામાં આવતી હતી.

ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી ચૂંટણી પંચ 4125 EVM અને VVPAT મશીનમાં નાખવામાં આવેલા વોટને સરખાવતું હતું. જે હવે સુપ્રીમ કોર્ટના આદેશ પછી વધીને 20,625 EVM અને VVPAT મશીનના વોટને સરખાવવાના રહેશે. આ અગાઉ દરેક વિધાનસભા ક્ષેત્રમાં માત્ર એક જ બૂથના EVMને VVPAT મશીન સાથે સરખાવાતા હતા. સુપ્રીમ કોર્ટે 21 વિરોધ પક્ષોની અરજી પછી દરેક વિધાનસભા ક્ષેત્રમાં 5 ઈવીએમ મશીન ચેક કરવાનો આદેશ આપ્યો હતો.

સુપ્રીમ કોર્ટમાં આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન એન. ચંદ્રાબાબુ નાયડુ (TDP), શરદ પવાર (NCP), ફારુક અબ્દુલ્લા (NC), શરદ યાદવ (LJD), અરવિંદ કેજરીવાલ (AAP), અખિલેશ યાદવ (SP), ડેરેક ઓબ્રાયન (TMC) અને એમ.કે. સ્ટાલિન(DMK) તરફથી આ અરજી દાખલ કરવામાં આવી હતી. આ અરજીમાં તેમણે કોર્ટને આગ્રહ કર્યો હતો કે, લોકસભા ચૂંટણી 2019ના પરિણામો જાહેર થાય તે પહેલા 50 ટકા પરિણામને VVPAT મશીન સાથે સરખાવવા જોઈએ અથવા તો બીજી વખત ચેક કરવા જોઈએ.