આયુર્વેદને દેશમાં ખૂણેખૂણે પહોંચાડવા આયુષ મંત્રાલયે બનાવ્યો માસ્ટર પ્લાન

નવી દિલ્હીઃ સરકારે મધુમેહ, તણાવ, રક્તચાપ અને કેન્સર જેવી બીમારીઓનો ઈલાજ કરવા માટે એક માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે. આ પ્લાન અંતર્ગત સરકાર દેશના દરેક ગામ સુધી આયુર્વેદનો ઈલાજ પહોંચાડશે. સરકાર આના માટે વડાપ્રધાન જનઆરોગ્ય અભિયાન અંતર્ગત દેશભરમાં તૈયાર થઈ રહેલા આશરે દોઢ લાખ જેટલા હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરોની મદદ લેશે. અહીંયા ભારતીય વૈજ્ઞાનિકોની શોધમાં નિર્મિત બીજીઆર-34 સહિત ઘણા પ્રકારના આયુર્વેદ ઉપચારથી દર્દીઓનો ઈલાજ થશે.

પ્રાપ્ત વિગતો અનુસાર આ દવાને સીએસઆઈઆરે મધુમેહ પર શોધ કરતાં તૈયાર કરી હતી. આ મામલે આયુષ મંત્રાલયનું કહેવું છે કે અત્યાર સુધી આ દવાના પરિણામો ચોક્કસ મળ્યા છે. એવું જોવા મળ્યું છે કે બીજીઆરના ઉપયોગથી 30 વર્ષથી ઓછી ઉંમરના મધુમેહ રોગીઓમાં આ બીમારી ખતમ થઈ ગઈ છે. આ જ કારણ છે કે સરકાર સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ, આયુષ અને વિજ્ઞાન મંત્રાલયે વ્યાપક યોજના બનાવી છે.

આયુર્વેદથી આ ઉપચારને વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રાલય શહેરના દરેક ગામ સુધી પહોંચાડવાની તૈયારીમાં છે. માનવામાં આવી રહ્યું છે કે જો આ ઉપચાર લોકો સુધી પહોંચવામાં સફળ રહ્યો તો આવનારા સમયમાં આ ખૂબ ઉપયોગી સાબિત થશે.

આપને જણાવી દઈએ કે સ્વાસ્થ્ય મિશન અંતર્ગત આયુષ મંત્રાલય વર્ષ 2021 સુધી તમામ જિલ્લાઓમાં આ ઉપચાર ઉપલબ્ધ કરાવી શકે છે. છત્તીસગઢ, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને હવે ઉત્તરપ્રદેશમાં આની શરુઆત પણ થઈ ગઈ છે. પ્રથમ ચરણમાં આશરે 24 હજાર કેન્દ્રોને શરુ કરવામાં આવશે. આયુષ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે બીજીઆર-34 સીવાય ડીઆરઓની લ્યૂકોસ્કિન, નીરી કેએફ્ટી જેવા ઈલાજ સિવાય યોગ પણ કેન્દ્રો સુધી ઉપલબ્ધ કરાવવામાં આવશે. આના માટે હજી કેટલાક રાજ્યો પાસેથી પ્રસ્તાવ આવવાનો બાકી છે.