નવી દિલ્હી – ભારતની બેન્કો પાસેથી રૂ. 9000 કરોડ લઈને બ્રિટન ભાગી ગયેલા ઉદ્યોગપતિ વિજય માલ્યાએ આજે લંડનની કોર્ટની બહાર એવો ધડાકો કર્યો હતો કે પોતે ભારત છોડતા પહેલાં નાણાં પ્રધાન અરૂણ જેટલીને મળ્યો હતો. પણ જેટલીએ જરાય સમય વેડફ્યા વગર આજે એ વિશે સ્પષ્ટતા કરી દીધી છે કે માલ્યા જૂઠ્ઠું બોલે છે.
જેટલીએ વિગતવાર ખુલાસો કર્યો છે.
જેટલીએ ફેસબુક પર લખ્યું છે કે, માલ્યાએ પત્રકારો સમક્ષ કરેલા એક નિવેદન વિશે મારું ધ્યાન દોરવામાં આવ્યું છે. એમાં માલ્યાએ એવું કહ્યું હતું કે એ મને મળ્યો હતો અને સમાધાનની ઓફર કરી હતી. પણ એનો દાવો વાસ્તવિક રીતે ખોટો છે, એમાં જરાય સત્ય નથી. 2014ની સાલથી મેં માલ્યાને ક્યારેય અપોઈન્ટમેન્ટ આપી નથી અને એ મને મળ્યો હતો એવો પ્રશ્ન ઊભો જ થતો નથી.
જેટલીએ વધુમાં ઉમેર્યું છે કે માલ્યા રાજ્યસભાનો સભ્ય હતો એટલે એ ગૃહમાં પ્રસંગોપાત હાજરી આપતો હતો. એ વિશેષાધિકારનો એણે એકવાર દુરુપયોગ કર્યો હતો અને હું જ્યારે ગૃહમાંથી બહાર નીકળતો હતો અને મારી રૂમ તરફ જતો હતો ત્યારે એ ઝડપથી ચાલીને મારી પાસે આવ્યો હતો અને ચાલતા ચાલતા એણે એક વાક્ય ઉચ્ચાર્યું હતું કે હું સમાધાનની ઓફર કરું છું. એણે ભૂતકાળમાં પણ કરેલી આવી છેતરામણી ઓફરોથી હું સંપૂર્ણપણે વાકેફ હતો. એને કંઈ પણ વધારે બોલતો અટકાવીને મેં એને કહી દીધું હતું કે આવું બધું મને કહેવાનો કોઈ મતલબ નથી અને તમારે બેન્ક અધિકારીઓને જ આવી ઓફરો કરવી જોઈએ. એ વખતે એના હાથમાં જે કાગળીયા હતા એ પણ મેં હાથમાં લીધા નહોતા. રાજ્યસભાના સદસ્ય તરીકે એણે ત્યારે પોતાના વિશેષાધિકારનો દુરુપયોગ કર્યો હતો અને એના તે એક વાક્યને બાદ કરતાં મને મળવાની મેં એને ક્યારેય અપોઈન્ટમેન્ટ આપી નહોતી. એ વિશેનો પ્રશ્ન જ ઊભો થતો નથી.
વાંચો, અરૂણ જેટલીના ખુલાસાવાર ટ્વીટ્સ…
The statement of Vijay Mallaya that he met me & offered settlement is factually false in as much as it does not reflect truth. Since 2014, I have never given him any appointment to meet me and the question of his having met me does not arise.
— Arun Jaitley (@arunjaitley) September 12, 2018
Since he was a Member of Rajya Sabha and he occasionally attended the House, he misused that privilege on one occasion, having been fully briefed about his earlier “bluff offers”, I curtly told him “there was no point talking to me and he must make offers to his bankers.”
— Arun Jaitley (@arunjaitley) September 12, 2018
I did not even receive the papers that he was holding in his hand. Besides this one sentence exchange where he misused his privilege as a RS Member to further his commercial interest as a bank debtor, there is no question of my having ever given him an appointment to meet me.
— Arun Jaitley (@arunjaitley) September 12, 2018
Union Minister @arunjaitley rubbishes fugitive liquor baron Vijay Mallya's claim; says no question of having met him or receiving any paper from him
Watch 👇 pic.twitter.com/h3wnLFGcH6
— PIB India (@PIB_India) September 12, 2018
માલ્યાના દાવાની જાણ થયા બાદ દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે એવું ટ્વીટ કર્યું હતું કે જેટલીએ પોતાનું વલણ સ્પષ્ટ કરવું જોઈએ. જેટલીએ જાણકારી અત્યાર સુધી શા માટે છુપાવી હતી?
કેજરીવાલે બીજા ટ્વીટમાં એમ જણાવ્યું હતું કે નીરવ મોદી દેશમાંથી ભાગી ગયો એ પહેલાં પીએમ મોદી એને મળ્યા હતા. વિજય માલ્યા ભારતમાંથી ભાગી ગયો એ પહેલાં નાણાં પ્રધાન એને મળ્યા હતા. આ બધી મીટિંગમાં શું બન્યું હતું? લોકો જાણવા ઈચ્છે છે.
Finance Minister ought to respond. Obviously, PM knew about it. https://t.co/KSR13ODOQx
— Arvind Kejriwal (@ArvindKejriwal) September 12, 2018
Why did the Finance Minister hide this information till now? https://t.co/KSR13ODOQx
— Arvind Kejriwal (@ArvindKejriwal) September 12, 2018
PM Modi meets Neerav Modi before he flees the country. FM meets Vijay Mallya before he flees India. What transpired in these meetings? People want to know.
— Arvind Kejriwal (@ArvindKejriwal) September 12, 2018