3 રાજ્યોમાં ભાજપના 36 દિગ્ગજ નેતાઓની હાર, MP-રાજસ્થાનમાં સૌથી ખરાબ પ્રદર્શન

નવી દિલ્હી- મધ્ય પ્રદેશના પરિણામોની ઉત્સુક્તાની વચ્ચે તમામ પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીમાં તસવીર સ્પષ્ટ થઈ ચૂકી છે. છત્તીસગઢમાં કોંગ્રેસને બહુમત મળ્યું છે, તો બે રાજ્યોમાં એક અને બે સીટથી બહુમતથી દૂર છે. જોકે આ ચૂંટણીમાં ભાજપ માટે એક ખરાબ સમાચાર પણ છે કે તેના ત્રણેય રાજ્યોમાં તેના 36 પ્રધાનોની હાર થઈ છે. સૌથી વુધ પ્રધાન રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં હાર્યા છે.

મધ્ય પ્રદેશમાં જ્યાં ભાજપે 109 સન્માન જનક સીટ મેળવી છે, બીજી તરફ 13 દિગ્ગજોએ પોતાની સીટ ગુમાવવી પડી છે. આ તમામ 13 દિગ્ગજ શિવરાજ સરકારમાં પ્રધાન હતાં. નરોત્તમ મિશ્રા, જયભાનસિંહ પવૈયા, રામપાલસિંહ, દીપક જોશી અને શરદ જૈન વગેરે પ્રધાનઓને હારનો સામનો કરવો પડ્યો છે.

રાજસ્થાનમાં સત્તા ગુમાવ્યા બાદ ભાજપને બીજો ઝટકો તેના 15 પ્રધાનોએ આપ્યો છે. આ તમામ 15 પ્રધાનો પોતપોતાની સીટથી ચૂંટણી હારી ગયા છે. તેમાં રાજસ્થાનના પરિવહન પ્રધાન રહેલા યુનૂસ ખાનને ટોંકથી સચિન પાયલટની સામે હારનો સ્વીકાર કરવો પડ્યો છે. ગૌ પાલન પ્રધાન ઓટારામ પણ ચૂંટણી હારી ગયા.

આ ઉપરાંત ભાજપના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અશોક પરનામી, સામાજિક ન્યાય અને અધિકારિતા પ્રધાન અરુણ ચતુર્વેદી, કૃષિ પ્રધાન પ્રભુલાલ સૈની, ઉદ્યોગ પ્રધાન રામપાલસિંહ શેખાવત, ખાણ પ્રધાન સુરેન્દ્ર પાલ, સિંચાઈ પ્રધાન ડો. રામપ્રતાપ, વન પ્રધાન ગજેન્દ્રસિંહ ખીંવસર, ચિકિત્સા રાજ્યપ્રધાન બંશીધર, સ્વાયત્ત શાસન પ્રધાન શ્રીચંદ કૃપલાની, ખાદ્ય પ્રધાન બાબૂલાલ વર્મા, રાજસ્વ પ્રધાન અમરારામ, જનજાતિ ક્ષેત્રીય વિકાસરાજ્યપ્રધાન કમસા મેઘવાલ અને પર્યટન પ્રધાન કૃષ્ણેન્દ્ર કૌર દીપા વગેરે ચૂંટણી હારી ગયા છે.

જો છત્તીસગઢની વાત કરીએ તો બૃજમોહન અગ્રવાલ, કેદાર કશ્યપ, મહેશ ગગડા, દયાલદાસ બઘેલ, અમન અગ્રવાલ જેવા દિગ્ગ્જ ચૂંટણી હારી ગયા છે.