મુંબઈ – ભારતીય હવામાન વિભાગ તરફથી સારા સમાચાર મળ્યા છે.
આ વર્ષે નૈઋત્યનું ચોમાસું દેશમાં વહેલું બેસશે.
આ ચોમાસું હંમેશાં દક્ષિણી રાજ્ય કેરળમાં સૌથી પહેલા બેસે છે અને આ વખતે તે 29 મેએ બેસી જશે.
સામાન્ય રીતે કેરળમાં ચોમાસું 1 જૂને બેસતું હોય છે. આ વખતે એ ત્રણ દિવસ વહેલું બેસશે.
વેધશાળાનું કહેવું છે કે આંદામાનના દરિયા તથા બંગાળના અખાતના અગ્નિ ખૂણા પરના આકાશમાં 23 મેથી ચોમાસું બેસી જાય એવી અનુકૂળ પરિસ્થિતિ સર્જાઈ છે.
તેથી એવી ધારણા કરી શકાય કે કેરળમાં ચોમાસું 29 મેએ બેસશે.
હવામાન વિભાગે વરસાદની મોસમ અંગે ગયા મહિને કરેલી પહેલી આગાહીમાં કહ્યું હતું કે આ વર્ષે ચોમાસું નોર્મલ રહેશે.