‘ચિત્રલેખા’ના વરિષ્ઠ પત્રકાર કેતન મિસ્ત્રીને પત્રકારત્વ માટેનો ‘જીવન ગૌરવ પુરસ્કાર’ એનાયત

મુંબઈ – ‘ચિત્રલેખા’ના વરિષ્ઠ પત્રકાર અને ગુજરાતી પત્રકારત્વમાં ત્રણ દાયકાથી વધુનો અનુભવ ધરાવતા કેતન મિસ્ત્રીને ‘મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી’ તરફથી વર્ષ 2018નો પત્રકારત્વ માટેનો ‘જીવન ગૌરવ પુરસ્કાર’ આજે અહીં એનાયત કરવામાં આવ્યો છે.

આજે સાંજે ઘાટકોપર ખાતે ઝવેરબેન પોપટલાલ સભાગૃહ ખાતે આયોજિત સમારંભમાં અકાદમીના પ્રમુખ નવીન દવે, મહારાષ્ટ્રના પ્રધાન પ્રકાશ મહેતા અને સંગીતકાર-ગાયક પુરુષોત્તમ ઉપાધ્યાયના હસ્તે કેતન મિસ્ત્રીને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે મુંબઈ ઉત્તર-પૂર્વ મતવિસ્તારના ભારતીય જનતા પાર્ટીના સંસદસભ્ય કિરીટ સોમૈયા પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમમાં શ્રી માધવ રામાનુજને ‘નર્મદ પારિતોષિક-2018’ એનાયત કરવામાં આવ્યું હતું.

જ્યારે ‘જીવન ગૌરવ પુરસ્કાર-2018’ કેટેગરીમાં ‘સાહિત્ય’નો એવોર્ડ ભરત નાયક-ગીતા નાયકને, ‘કલા’નો એવોર્ડ જાણીતા નાટ્યકાર પ્રવીણ સોલંકીને અને ‘સંસ્થા’નો એવોર્ડ શ્રી સોલાપુર ગુજરાતી મિત્ર મંડળને આપવામાં આવ્યો છે.

httpss://youtu.be/o3Bpx308Aoo

(જુઓ કાર્યક્રમની તસવીરી ઝલક…)

(તસવીરોઃ દીપક ધુરી)