મહારાષ્ટ્ર રોડ ટ્રાન્સપોર્ટના કર્મચારીઓની હડતાળ સમાપ્ત

મુંબઈ– બોમ્બે હાઈકોર્ટની આકરી ટીકા પછી મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન(એમએસઆરટીસી)ની પાંચ દિવસથી ચાલી રહેલી હડતાળ સમાપ્ત થઈ ગઈ છે. હાઈકોર્ટે શુક્રવારે જ આ હડતાળને ગેરકાયેદ જાહેર કરતાં તેને ઝડપથી સમાપ્ત કરવાનો આદેશ આપ્યો હતો.

હાઈકોર્ટે તેની સાથે મહારાષ્ટ્ર સરકારને પણ ફટકાર લગાવી હતી. કોર્ટે કહ્યું હતું કે સરકાર લોકોની મુશ્કેલીઓ મુકદર્શક બનીને જોતી રહી છે. તહેવારોની સીઝનમાં પડેલી આ હડતાળથી લાખો લોકોને પારાવાર મુશ્કેલીઓ પડી છે.

એમએસઆરટીસીના સાત હડતાળીયા કર્મચારીઓને હંગામો કરવા અને હિંસા કરવા બદલ સસ્પેન્ડ કરાયા છે, અને જાણવા મળ્યા મુજબ તેમની ધરપકડ પણ કરી લેવાઈ છે. પગારમાં વધારાની માંગ સાથે એમએસઆરટીસીના અંદાજે એક લાખ કર્મચારીઓ 16 ઓકટોબરથી અનિશ્રિતકાલીન હડતાળ પર હતા. તેમાં વધારે બસના ડ્રાઈવર અને કંડક્ટર હતા.