બ્રિટિશ સંસદમાં”જલિયાંવાલા બાગ” નરસંહાર પર થશે ચર્ચા

નવી દિલ્હીઃ બ્રિટીશ સંસદના ઉપરી સદન હાઉસ ઓફ લોર્ડ્સમાં ભારતીય મૂળના સદસ્યોએ ભારતમાં બ્રિટિશ રાજમાં એપ્રિલ 1919માં થયેલા જલિયાંવાલા નરસંહાર પર ઐતિહાસિક ચર્ચાની પહેલ શરુ કરી છે. આ ચર્ચા આવતા મંગળવારના રોજ થશે. લોર્ડ મેઘનાદ દેસાઈ અને લોર્ડ રાજ લૂમ્બાની પહેલ પર બ્રિટિશ સંસદના ઉપરી સદને મુખ્ય ચેમ્બરમાં અમૃતસર નરસંહારની 100મી વરસી હશે.

દેસાઈ અને લૂમ્બા આ ઐતિહાસિક ત્રાસદપૂર્ણ ઘટનાની 100 મી વરસી માટે નવગઠિત જલિયાવાલા બાગ શતી આયોજન સમિતિના સભ્ય છે. સમિતિએ એક નિવેદનમાં કહ્યું કે આ એક ઐતિહાસિક ક્ષણ છે કારણ કે આ નરસંહારની શતી 13 એપ્રિલ 2019ના રોજ છે. આ ચર્ચામાં જલિયાવાલા બાગ સરસંહાર પર વિસ્તારથી ચર્ચાનો પ્રસ્તાવ છે. બ્રિટિશ સરકારની આ શતીને મનાવવાની યોજના છે.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સો વર્ષમાં આ પહેલીવાર છે કે જ્યારે જલિયાવાલા કાંડ પર પૂર્ણ ચર્ચા થશે. ગત વર્ષે જુલાઈ 1920નો સમય હતો જ્યારે હાઉસ ઓફ લોર્ડ્સે મત-વિભાજનથી બ્રિગેડિયર જનરલ ડાયના કૃત્યની નિંદા કરી હતી. ડાયરે જ 13 એપ્રિલ 1919ના રોજ જલિયાંવાલા બાગમાં હજારો શાંતિપૂર્ણ પ્રદર્શનકારિઓની હત્યા કરાવી નાંખી હતી.