ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનની માગણી, રથ જપ્ત કરનાર અધિકારી સામે પગલાં લો…

ઊંઝા– હિંમતનગર પાસે રવિવારે પાટીદારો કાઢવામાં આવેલ એક રેલીમાં પોલિસે કરેલા હળવા લાઠીચાર્જના બનાવને આજે ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા દ્વારા વખોડાયું હતું. હાર્દિક પટેલને સમર્થન આપવા યોજાયેલી રેલી મંજૂરી ન આપવા છતાં યોજાઈ હતી. જેમાં ઊમિયા માતાજીનો રથ પણ શામેલ કરવામાં આવેલો હતો. જેનો પોલિસે ડીટેઈન કરી લેતાં આકરી ટીકા કરવામાં આવી હતી.

આ બનાવને લઈ લાલઘૂમ પાટીદાર સમાજે સરકારને ઉમિયામાતા સંસ્થાન ઊંઝા દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી હતી કે પાટીદાર સમાજની વિશ્વફલક પર સંગઠિત શક્તિને ઓછી ન આંકવામાં આવે. ઉમિયા માતાજી સંસ્થાને માગણી કરી હતી કે સરકાર આ કૃત્ય કરનાર અધિકારીઓ સામે પગલાં લે નહીં તો ધાર્મિક સંસ્થાઓએ આ અંગે વિચારવું પડશે.

રવિવારે થયેલી ઘટનાની તસવીરો…