અમદાવાદઃ નાર્કોટિક્સ વિભાગ દ્વારા 30 લાખથી વધુના 5 કિલોના ચરસના જથ્થા સાથે 2 વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. આ ચરસના જથ્થાને જમ્મુ કાશ્મીરથી લાડુ બનાવીને લાવવામાં આવ્યું હતું. એનસીબીએ આબીદમિયાં અને ઈન્તેખાબ આલમ નામના બે શખ્સોની અટકાયત કરી છે. ચરસના જથ્થા સાથે ઝડપાયેલા બંને શખ્સને કોર્ટમાં રજૂ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આબીદમિયાં જુહાપુરા અમદાવાદનો રહેવાસી છે જ્યારે ઈન્તેખાબ ખાનપુરનો રહેવાસી છે.