સમગ્ર રાજયમાં રવિવારી શાક માર્કેટ શરુ કરાશેઃ સીએમ રુપાણી

સાબરકાંઠા- મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ પ્રાંતિજના વદરાડ ગામ ખાતે આવેલ સેન્ટર ઓફ એકસલન્સ ફોર વેજિટેબલ્સની મુલાકાત દરમિયાન આગામી સમયમાં રાજયના મહાનગરો સહિત વિવિધ વિસ્તારમાં રવિવારી શાક માર્કેટ શરૂ કરવાનું સુવ્યસ્થિત આયોજન કરવા કૃષિ વિભાગના સંબંધિત અધિકારીઓને સૂચન કર્યુ હતું.વદરાડના સેન્ટર ઓફ એકસલન્સ ફોર વેજીટેબલ્સની મુલાકાત દરમિયાન રાજયના સીએમે ખેડૂતો સાથે વાર્તાલાપ કર્યો હતો. ખેડૂતોએ આ વેળાએ મુખ્યમંત્રીશ્રીને રવિવારી શાક માર્કેટ પુન: શરૂ કરવા વ્યકત કરેલી લાગણીનો પ્રતિસાદ આપતાં આપીને ટૂંક સમયમાં આ માર્કેટનો આરંભ કરવા ધરપત આપી હતી.

આ સેન્ટર ફોર એકસલન્સ ફોર વેજિટેબલ્સનો લાભ પ્રાંતિજ, ઇડર, વડાલી, બાયડ અને ગાંધીનગરના ખેડૂતો સારી  લઇ પોતાની આવકમાં વધારો કરી રહયાં છે. સેન્ટર ફોર એકસલન્સમાં અપાતી તાલીમથી ખેડૂતોએ સંતોષ પણ વ્યકત કર્યો હતો.

હાલમાં ૧૨ લાખ ધરૂ ઉગાડી શકવાની ક્ષમતા છે તે ઉપરાંત કચ્છ ખાતે પણ આ પ્રકારનું એકસલન્સ સેન્ટરનું નિર્માણ કરવામાં આવ્યું છે. એકસલન્સ સેન્ટરમાં પ્લગ નર્સરીમાં ઉત્પાદન કરવામાં આવતા ધરૂ અને ખેડૂતો પોતાની જમીનમાં ધરૂ ઉગાડે છે, તેની વચ્ચેના ભેદની અને પ્લગ નર્સરીમાં ઉગતા ધરૂથી ખેડૂતોને પાક કેમ વધારે મળે છે.

આ પ્રસંગે સીએમ રૂપાણી અને તેમનાં પત્ની અંજલિ રૂપાણીએ એકસલન્સ સેન્ટરના ફૂડ નર્સરી, પ્લગ નર્સરી, ગ્રીન હાઉસની મુલાકાત લીધી હતી.