નૂતન વર્ષે મુખ્યપ્રધાન પ્રજાજનો સાથેના આ કાર્યક્રમોમાં આપશે હાજરી

ગાંધીનગરઃ ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રુપાણી વિક્રમ સંવત ર૦૭૫ના પ્રથમ દિવસે સવારે ૭:૩૦ કલાકે ગાંધીનગરમાં પંચદેવ મંદિરના દર્શન કરી નૂતન વર્ષનો પ્રારંભ કરશે. ત્યારબાદ મુખ્યપ્રધાન ૮:પ૦ કલાકે રાજ્યપાલને રાજભવન ખાતે નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવશે. 

મુખ્યપ્રધાન રૂપાણી સવારે ૧૦:૩૦ થી ૧૧:૩૦ કલાક સુધી અમદાવાદમાં એનેક્સી સરકીટ હાઉસ, શાહીબાગ ખાતે નાગરિકો સાથે નવા વર્ષની શુભેચ્છાઓની આપ-લે કરશે. આ પહેલા તેઓ ૯:૪પ વાગ્યે અમદાવાદમાં ભદ્રકાળી માતાના મંદિરે દર્શનાર્થે જશે.

મુખ્યપ્રધાન રુપાણી બપોરે ૧૧:૪૫ કલાકે શાહીબાગ ડફનાળા ખાતે પોલીસ ઓફિસર્સ મેસમાં વરિષ્ઠ પોલીસ અફસરો અને તેમના પરિવારોને નૂતનવર્ષની શુભકામનાઓ પાઠવવા ઉપસ્થિત રહેશે.